Thursday, January 30, 2014

'ગાંધી નિર્વાણ દિન' ખાસ ગાંધીજીનાં ચિત્રવાળું ખાદી કવર લોન્ચ કરાયું



રાજકોટ, 30 જાન્યુઆરી

આજે ગાંધી નિર્વાણ દિન નિમિતે રાજકોટ શહેરની આત્મીય કોલેજમાં ગાંધીના છાપાઓ સહીતની કૃતિઓ તેમના સ્મરણોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સાથો સાથ ગુજરાતમાં પહેલીવાર આત્મીય કોલેજના સંચાલકોએ “ગાંધીજીના ફોટા વાળું ખાદીનું કવર” બનાવી લોન્ચ કર્યું હતું જે ટુંક સમયમાં દરેક ખાદી ભવનોમાં જોવા મળશે. આ ખાદી કવર પર ગાંધીજીના પૌત્ર તુષાર ગાંધી એ પોતાના હસ્તાક્ષર કરી શુભેરછા આપી હતી.

આ વીશે આત્મીય કોલેજનાં ટ્રસ્ટી નલીન ઝવેરીએ જણાવ્યું હતું કે, ખુબજ ટુંકા સમયમાં ગાંધીજીના ચિત્ર વાળું આ ખાદી કવર ગુજરાત ના દરેક ખાદી ભવનમાં જોવા મળશે અને લોકોઆ ખાદી કવરને ખરીદી પણ શકશે.

આજે ૩૦ મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ, આજે આત્મીય સંકુલમાં અમે લોકો એ અહી એક ખાદી નું કવર કે જે અત્યાર સુધીમાં મારા ધ્યાન મુજબ પેહલી વખત લોન્ચ થયું છે અને એ કવર ની ખાસિયત એ છે કે એમાં એક ગાંધીજી નું ચિત્ર દોરેલ છે અને ભવિષ્ય માં એ કવર માર્કેટ માં ખાદી ભંડારો માં પણ મળતું રહેશે