Monday, December 17, 2012

બઢતીમાં અનામત ખરડો રાજ્યસભામાં બહુમતીથી પસાર


નવી દિલ્હી, તા. ૧૭
  • ૨૨૪ સભ્યોમાંથી ૨૦૬ સભ્યોએ ખરડાની તરફેણમાં મતદાન કર્યું
  • ક્વોટા બિલવિવાદ : સમાજવાદી પક્ષે નાખ્યું મુસ્લિમ કાર્ડ
  • સચર કમિટીના અહેવાલનો હવાલો આપી એસપીએ સૂત્રોચ્ચાર કર્યા
એસસી અને એસટીના કર્મચારીઓને સરકારી નોકરીમાં બઢતીમાં અનામત આપવા બંધારણીય સુધારાનો ખરડો આજે રાજ્યસભામાં પસાર કરી દેવામાં આવ્યો હતો. રાજ્યસભામાં હાજર રહેલા ૨૨૪ સભ્યોમાંથી ૨૦૬ સભ્યોએ ખરડાની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે માત્ર ૧૦ સભ્યોએ તેના વિરોધમાં મતદાન કર્યું હતું. આ ખરડાના વિરોધમાં સમાજવાદી પાર્ટીના નવ અને એક અપક્ષ સાંસદ મોહમ્મદ અદિબે મતદાન કર્યું હતું જ્યારે ખરડાનો વિરોધ કરી રહેલા શિવસેનાના તમામ ચાર સભ્યો ગૃહમાં હાજર રહ્યા નહોતા. યુપીએ સરકારને બહારથી સમર્થન આપી રહેલા બહુજન સમાજપાર્ટી આ ખરડાને પસાર કરવા જોરશોરથી માગણી કરી રહી છે જ્યારે સમાજવાદી પાર્ટી તેના વિરોધમાં છે. અગાઉ રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીએ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મુસ્લિમોને અનામત મામલે હોબાળો મચાવતાં ગૃહની કાર્યવાહી અડધો કલાક માટે મુલતવી રાખવી પડી હતી.
લોકજનતા પક્ષ(એલજેપી)ના અધ્યક્ષ રામવિલાસ પાસવાન અને રાષ્ટ્રીય જનતાદળ(આરજેડી)ના સભ્યોએ સમાજવાદી પક્ષનું સમર્થન કર્યું હતું. આ પહેલાં શૂન્યકાળ દરમિયાન સમાજવાદી પક્ષના સભ્યોએ ચેરમેનની ખુરશી નજીક પહોંચી જઈ સચર કમિટીના અહેવાલના અમલીકરણ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ ગૃહના ચેરમેન હામિદ અન્સારીએ તેમને(સપના સભ્યો) અપીલ કરી હતી કે, તેઓ વેલ સુધી ન આવે. ત્યાં સુધી આવવાની પરવાનગી નથી પણ તેમ છતાં તેઓ શાંત ન થતાં ગૃહને અડધા કલાક માટે સ્થગિત કરવામાં આવ્યું હતું.
સમાજવાદી પાર્ટીએ મુસ્લિમ કાર્ડ ઉતાર્યું
રાજ્યસભામાં સમાજવાદી પક્ષના નેતા રામગોપાલ યાદવે શૂન્યકાળ દરમિયાન મુસ્લિમ અનામતનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે,રાજેન્દ્ર સચર કમિટીએ તેના અહેવાલમાં ટાંક્યું છે કે, મુસ્લિમોની પરિસ્થિતિ દલિતો કરતાં પણ બદતર છે અને તેથી મુસ્લિમ અનામતની સુવિધા પૂરી પાડવા માટે બંધારણીય સુધારો જરૃરી છે, જો સરકારી નોકરીમાં પ્રમોશનમાં એસસી/એસટી અનામત માટે બંધારણીય સુધારો કરી શકાય તો પછી મુસ્લિમ માટે બિલમાં સુધારો શા માટે ન થવો જોઈએ.
સચર સમિતિના અહેવાલમાં શું છે ?
વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા વર્ષ ૨૦૦૫માં ભારતીય મુુસ્લિમોની સામાજિક, આર્થિક, શૈક્ષણિક પરિસ્થિતિ જાણવા દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રાજેન્દ્ર સચરની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી હતી. છ સભ્યોની સમિતિએ ભારતમાંના મુસ્લિમોની સામાજિક, આર્થિક, શૈક્ષણિક પરિસ્થિતિ અંગે રજૂ કરેલા અહેવાલમાં એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો કે, ભારતીય મુસ્લિમોની પરિસ્થિતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં લોકોની પરિસ્થિતિ કરતાં ખરાબ છે.
બંધારણમાં ૧૧૭મો સુધારો
એસસી અને એસટી જાતિના કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા માટે બંધારણમાં ૧૧૭મો સુધારો કરાયો હતો. બંધારણમાં સુધારો કરવા માટે ૨/૩ બહુમતીની જરૃર હોય છે. આજે રાજ્યસભામાં હાજર રહેલા ૨૨૪ સભ્યોમાંથી ૨૦૬ સભ્યોએ બંધારણના સુધારાની તરફેણમાં મતદાન કરતાં સ્પષ્ટ બહુમતી મળી હતી.

Sunday, December 16, 2012

કમ્પ્યુટર ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો?

કમ્પ્યુટર ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો?

Dec 07, 2012

કમ્પ્યુટર નોલેજ
જ્યા રે પણ તમે નવું કમ્પ્યુટર ખરીદો છો ત્યારે નોર્મલી આપણે એવું જ વિચારતા હોઈએ છીએ કે કમ્પ્યુટરમાં એક મોનિટર, સીપીયુ, કી-બોર્ડ અને માઉસ આવે તે જોઈને લેવાનું હોય વધારેમાં વધારે સ્પીકર હોય પરંતુ આ તો થયા ઉપરી સ્પેરપાર્ટ. જેના લીધે કમ્પ્યુટર ચાલે છે, જે કમ્પ્યુટરનું હાર્ટ છે તેવા સ્પેરપાર્ટ વિશે પણ થોડું નોલેજ હોવું જરૂરી છે. તો આપણે કમ્પ્યુટર ખરીદતી વખતે કઈ બાબતોની કાળજી રાખવાની હોય છે તે અંગે થોડું જાણીએ.
* કમ્પ્યુટર ખરીદતી વખતે તેનાં સીપીયુ માટેની હાર્ડડિસ્ક, રેમ, પ્રોસેસર, મધરબોર્ડ વગેરે જેવી વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ.
* હાર્ડડિસ્ક કેટલા જીબીની છે તે ચેક કરવું જોઈએ, જેટલા વધારે જીબી તેટલો વધારે ડેટા સમાય. રેમ કમ્પ્યુટરની સ્પીડ માટે હોય છે, આ રેમ જેટલાં વધારે જીબીની હોય તેટલું કમ્પ્યુટર ફાસ્ટ કામ કરે.
* પ્રોસેસર અને મધરબોર્ડનું પણ આગવું મહત્ત્વ છે, જ્યારે પણ તમે કમ્પ્યુટર ખરીદવા જાઓ ત્યારે આ તમામ વસ્તુની માહિતી મેળવીને લેટેસ્ટ વર્ઝન ચેક કરીને જ લેવું જોઈએ.
* એ ઉપરાંત તમે એડિશનલ ગેઝેટ પણ લઈ શકો છો, જેમ કે પેન ડ્રાઈવ, વેબ કેમ્પ, એક્સ્ટ્રા હાર્ડડિસ્ક, ઇન્ટરનેટ ડોંગલ જેવી વસ્તુ પણ ઉપયોગ પ્રમાણે ખરીદી શકાય છે.
* કમ્પ્યુટરની ખરીદી વખતે ખાસ આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આગળ જતાં જરૂર પડયે આ બધી વસ્તુઓમાં થતો ખરીદીનો વધારાનો ખર્ચ બચાવી શકાય છે.

Thursday, December 13, 2012

ગુજરાતમાં વોટિગનો રેકોર્ડ તૂટ્યો, પ્રથમ તબક્કાનું 68 ટકા મતદાન

અમદાવાદ, 13 ડિસેમ્બર
  • ગુજરાતમાં 2007માં કુલ વોટિંગ 64 ટકા થયું હતું, જ્યારે આજના પ્રથમ તબક્કાના મતદાનમાં  68 ટકા મતદાન થયું.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જે પ્રમાણે રાજ્યમાં સરેરાશ 55 ટકાથી વધુ મતદાન થયું છે. મતદાનની શરૂઆતમાં રાજ્યનાં મંત્રીઓ તથા રાજકીય દિગ્ગજ નેતાઓએ પોતાનો કિંમતી વોટ આપ્યો હતો. આખરે ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સિલ થઈ ગયું છે.

  • ઉનામાં 65 ટકા, સોમનાથમાં 71.17 ટકા મતદાન, કેશોદમાં 50.20 ટકા, વિરમગામમાં 60 ટકા અને સાણંદમાં 55 ટકા મતદાન
  • તાપીમાં 76 ટકા અને નિઝરમાં 75 ટકા મતદાન
  • સુરતમાં 60 ટકા અને રાજકોટનાં મોરબીમાં 62 ટકા મતદાન 
  • રાજકોટ દક્ષિણમાં 52 ટકા, ગોંડલમાં 66 ટકા મતદાન, જેતપુરમાં 60 ટકા મતદાન 
  • ધોરાજીમાં 44 ટકા, ધંધુકામાં 33 ટકા મતદાન, જસદણમાં 71 ટકા મતદાન 
મતદાન શરૂ થતાં પહેલાં 
ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે અને સવારનાં માહોલમાં લગભગ તમામ મતદાન સ્થળોએ આશરે 5 થી 10 ટકા મતદાન થયેલ છે. પ્રથમ તબક્કાની 87 સીટોમાંથી 54 સીટો સૌરાષ્ટ્રની છે. સોરાષ્ટ્ર વિસ્તાર ગુજરાત પરિવર્તન પાર્ટીનાં કેશુભાઈ પટેલનો ગઢ માનવામાં આવે છે. જીપીપી સામે બીજેપી અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓનું ભાવિ આજે નક્કી થશે, જેમાં મોદી સરકારનાં 10 મંત્રી સામેલ છે.

  • ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 17 ટકા મતદાન થયું છે અને મતદાતાઓની લાઈન લાગેલી છે. વિરમગામમાં 6 ટકા, સાણંદમાં 8 ટકા, ધોળકામાં  7 ટકા, ધંધુકામાં 6 ટકા મતદાન થયું છે.
પ્રથમ તબક્કાની 87 સીટો પરથી 846 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે, જેમાંથી 46 મહિલાઓ છે. બીજેપી તમામ 87 બેઠક પરથી લડી રહી છે અને કોંગ્રેસ 84 સીટો પરથી લડી રહી છે. કોંગ્રેસે ત્રણ સીટો એનસીપીને આપી રાખી છે.

  • જંબુસરમાં 4 ટકા મતદાન, વાગરામાં 5 ટકા, ઝઘડિયા 7 ટકા, ભરૂચમાં 8 ટકા, અંકલેશ્વરમાં 8 ટકા, કાલાવાડ (એસ સી) 6 ટકા, જામનગરમાં 6 ટકા, જામનગર ઉત્તર 7 ટકા, જામનગર દક્ષિણમાં 5 ટકા, જામ જોધપુરમાં 4 ટકા અને ખંભાળિયામાં 8 ટકા અને દ્વારકામાં 6 ટકા મતદાન થયું છે.
આજે કેશુભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવા, ગુજરાત બીજેપીનાં અધ્યક્ષ આરસી ફળદુ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા અને વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલની કિસ્મતનો આજે નિર્ણય થશે. આજે કુલ 1 કરોડ 81 લાખ 77 હજાર 953 મતદાતાઓ મતદાન કરશે, જેમાંથી 95 લાખ 75 હજાર 278 પુરુષ છે અને 86 લાખ 2 હજાર 557 મહિલાઓ છે. 
  • મહુવામાં 8 ટકા, તળાજામાં 8 ટકા, ગારિયાધારમાં 8 ટકા, પાલિતાણામાં 6 ટકા, ભાવનગર ગ્રામ્યમાં 7 ટકા, ભાવનગર પૂર્વમાં 5 ટકા, ભાવનગર પશ્ચિમમાં 7 ટકા, ગઢડામાં 8 ટકા અને બોટાદમાં 8 ટકા મતદાન થયું છે.
જાણો, કઈ સીટ પર કેટલું મતદાન થયું (બપોરનાં 12 વાગ્યા સુધી)
આજે ગુજરાત વિધાનસભાની 87 બેઠકો માટે મતદાન શરૂ થયું છે, જેમાંથી 54 સીટો સૌરાષ્ટ્રની છે. સૌરાષ્ટ્રમાં આજે સવારે......
 

જાણો ગુજરાત ચૂંટણી વોટીંગના પળેપળના સમાચાર

અમદાવાદ 13, ડિસેમ્બર

ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાની 87 સીટો માટે મતદાન ચાલું થઈ ગયું છે. મતદાન કેંદ્રો પર સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના 7 જીલ્લાની 48 સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે. આજની ચૂંટણીમાં નક્કી થશે કે રાજનૈતિક દબદબો રાખનાર લેઉઆ પટેલ સમાજ મોદીનો સાથ આપે છે કે પછી કોશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીને.

1,81,77,953  -     કુલ મતદારો
95,75,278     -     પુરૂષ મતદાર
86,02,557     -    મહિલા મતદાર
118               -     અન્ય મતદારો


  • ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં 68 ટકા મતદાન
  • ગુજરાતમાં વોટીંગનો રેકોર્ડ તુટ્યો 2007માં કુલ 64 ટકા મતદાન થયું હતું
  • તાપી જીલ્લો સૌથી મોખરે 76 ટકા મતદાન
  • બીજા નંબર પર સુરેન્દ્રનગર જીલ્લો 68 ટકા મતદાન
  • ઉનામાં 64.74 ટકા મતદાન
  • વાગરામાં 63 ટકા મતદાન
  • ઝગડિયામાં 58 ટકા મતદાન
  • ભરૂચમાં 51 ટકા મતદાન
  • અંકલેશ્વરમાં 58ટકા મતદાન
  • લાઠીમાં 52 ટકા મતદાન
  • રાજુલામાં 46 ટકા મતદાન
  • ધારીમાં 31 ટકા મતદાન
  • વ્યારામાં 76 ટકા ટકા મતદાન
  • નિઝરમાં 74 ટકા મતદાન
  •  ભાજપના કાર્યકરો દ્વારા ઘીરુ ગજેરાના પૂત્ર પર ધરતીનગર પાસે હુમલો
  • ભરૂચમાં 67 ટકા મતદાન.
  • સુરતમાં 64 ટકા મતદાન.
  • તાપીમાં 75 ટકા મતદાન
  • ડાંગમાં 66 ટકા મતદાન
  • વલસાડમાં 67 ટકા મતદાન
  • રાજકોટમાં 68 ટકા મતદાન
  • અમરેલીમાં 65 ટકા મતદાન.
  • સુરેન્દ્ર નગરમાં 68 ટકા મતદાન
  • ભાવનગર 63 ટકા મતદાન
  • અમદાવાદ ગ્રામ્ય 34.07 ટકા મતદાન
  • નવસારી 72 ટકા મતદાન
  • કુલ 30 ઈવીએમ બદલવા પડ્યાં
  • કામરેજના કઠોર ગામના મતદાન મથક પર કોંગ્રેસના કાર્યક્રર્તાઓ પૈસાનું વિતરણ કરતાં ઝડપાયા
  • ઈન્દીરાનગર પાસેથી 300 જેટલા કાર્ડ પકડાયા
  • સુરેન્દ્રનગર જીલ્લાનું કુલ મતદાન 20 ટકાલીંબડીમાં એક વાગ્યા સુધી 20 ટકા મતદાન
  • સુરત-કારંજમાં 1000 મતદારોના નામ યાદીમાંથી ગાયબ
  • ભાવનગર - શક્તિશિંહ ગોહીલે કર્યું મતદાન
  • વિસાવદરમાં 17 ટકા મતદાન થયું
  • રાજકોટ શહેરમાં 10 ટકા મતદાન
  • ગોંડલમાં અત્યાર સુધી 31 ટકા મતદાન
  • માણાવદરમાં 16 ટકા મતદાન
  • કેશોદમાં 20 ટકા મતદાન
  • સુરતનાં અંબાજીમાં ઐતિહાસિક મતદાન, કુલ 27 ટકા મતદાન 
  •  વલસાડ : કાકડકોપરમાં 3 કલાકમાં 50 ટકા મતદાન 
  •  કોડીનારનાં ધારાસભ્ય વીરસિંહ બારડ સામે ફરિયાદ
  • ભાવનગર જિલ્લાની 9 બેઠક માટે મતદાન શરૂ
  •  પરષોત્તમ સોલંકી સામે શક્તિસિંહ ગોહિલ 
  •  સુરત : BJPનાં બે કોર્પોરેટર સંજય પાટીલ અને રવિન્દ્ર પાટીલ વચ્ચે મારામારી 
  • ડાંગ જિલ્લામાં 17 ટકા મતદાન 
  •  રાજકોટ દ : વોર્ડ નંબર 10ની મતદારયાદીમાંથી અનેક નામ ગાયબ
  •  કેશુભાઈ પટેલને પાઈલટ કાર અને સાયરન બદલ ચૂંટણી પંચની શોકોઝ નોટિસ
  • - સૂરતમાં 10 વાગ્યા સુધી કુલ 7 ટકા વોટીંગ
  • - અર્જુન મોઠવાડીયાએ પોરબંદરમાં પોતાનો મોટ નાખ્યો
  • - મનીષ તીવારીએ કહ્યું કે ગુજરાતની જનતાને કહ્યું કે આવી ગેરજવાબદાર પાર્ટી અને સીએમના હાથમાં ગુજરાતને હવાલે કરવા માંગો છો.
  • - જો ઈરફાન પઠાણ મોદીના પ્રચારમાં ગયો તો તે તેનો અંગત મામલો છે.
  • - રાજકોટમાં કેશુભાઈ પટેલ વોટ આપવા ગયા. સૂરતમાં નરોત્તમ પટેલે વોટ આપ્યો.
  • - પહેલા દોઢ કલાકમાં 6 ટકા મતદાન
  • - સૂરતમાં સીઆર પાટીલે વોટ આપ્યો અને કહ્યું મોદી ફરી સરકાર બનાવશે.
  • - ભરૂચમાં મુસ્લીમ સમુદાય વોટીંગ કરવા ઉપડ્યો
  • - ચૂંટણી માટે લઈ જવામાં આવતો 30 લાખનો દારૂ રાજસ્થાન પોલીસે પકડ્યો
  • - ભરૂચમાં 85 વર્ષના ઘરડા મહિલા નસીમ બાનોએ વોટીંગ કર્યું અને લોકોને વોટ આપવાની અપીલ કરી.
  • - સાણંદમાં વોટ આપવા માટે લાઈનો લાગી. લોકોએ કહ્યું વિકાસનો મુદ્દો દિમાગમાં રાખીને જ વોટ કરીશું.

ફેબ્રુઆરી મહિનાથી સમગ્ર દેશમાં મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવાનો અમલ



નવી દિલ્હી, ૧૩
હાલ માત્ર પોતાના સર્કલમાં જ નંબર પોર્ટેબિલિટીનો લાભ મળે છે
ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવા આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનાથી શરૂ થઇ જશે. આ સેવાનાં કારણે મોબાઇલ વપરાશકાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરશે તો પણ તેને પોતાનો મોબાઇલ નંબર બદલવો નહીં પડે. 'ઇન્ડિયા ટેલિકોમ ૨૦૧૨'ની બેઠકમાં સિબ્બલે જણાવ્યું હતું કે, નેશનલ ટેલિકોમ પોલિસીનું સમયસર અમલીકરણ થાય તે માટે દૂરસંચાર વિભાગે ડિસેમ્બર ૨૦૧૨થી ફેબ્રુઆરી ૨૦૧૩ સુધી આગામી ત્રણ માસ માટે વિસ્તૃત એજન્ડા તૈયાર કર્યો છે.
વધુમાં સિબ્બલે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીમાં સ્પેક્ટ્રમ ફાળવણીને મંજૂરી અને તેની કિંમત, એકરૂપ લાઇસન્સ વ્યવસ્થા, સ્પેક્ટ્રમ વહેંચણી અંગેની માર્ગર્દિશકાને આખરી સ્વરૂપ, આર એન્ડ ડી માટે ભંડોળ ઊભું કરવું અને રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ નંબર પોર્ટેબિલિટી જેવી અત્યંત મહત્ત્વની બાબતો અંગે કામગીરી શરૂ કરાશે.
હાલના તબક્કે મોબાઇલ વપરાશકાર નંબર પોર્ટેબિલિટી હેઠળ માત્ર તેના સર્કલની અંદર જ જુદા જુદા મોબાઇલ ઓપરેટર્સ પાસેથી પોતાનો નંબર જાળવી રાખીને સેવા પ્રાપ્ત કરી શકે છે, જોકે નેશનલ ટેલિકોમ પોલિસી ૨૦૧૨ હેઠળ સરકાર રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ નંબર પોર્ટેબિલિટીનો અમલ કરાશે. આ યોજના અંતર્ગત મોબાઇલ વપરાશકાર અલગ અલગ સર્કલમાં પણ પોતાનો મોબાઇલ નંબર જાળવી રાખીને પણ મોબાઇલ કંપનીઓની સેવા પ્રાપ્ત કરી શકશે. ભારતમાં આ પ્રકારનાં ૨૨ જુદાં જુદાં સર્કલ આવેલાં છે.

Monday, December 10, 2012

ભારત અને પાકિસ્તાન વચ્ચે રાષ્ટ્રગીતની જંગ છેડાઈ


કાનપુર, તા. ૧૦
ભારત અને પાકિસ્તાનની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મોટી સંખ્યામાં ભેગા થઈ એક સાથે રાષ્ટ્રગીત ગાવાની હરીફાઈ ચાલી રહી છે, બંને દેશ મોટી સંખ્યામાં એકત્રિત થઈ રાષ્ટ્રગીત ગાવાનો એકબીજાનો રેકોર્ડ તોડી રહ્યા છે. રવિવારે કાનપુરમાં એક લાખથી વધુ લોકોએ રાષ્ટ્રગીત ગાઈને પાકિસ્તાને સ્થાપેલો રેકોર્ડ તોડયો હતો. આ દરમિયાન ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ(જીડબ્લ્યુઆર)ના પ્રતિનિધિ પણ હાજર હતા, જેમણે એક લાખ લોકો હાજર હોવાની પુષ્ટિ કરી હતી.
કાનપુરમાં એક લાખથી વધુ લોકોએ એક સાથે રાષ્ટ્રગીત ગાઈ ગિનિસ બુકમાં પાકિસ્તાનનો રેકોર્ડ તોડયો
ગિનિસ બુકના અધિકારી રાજેશ મહેરાના જણાવ્યાનુસાર, ગિનિસ રેકોર્ડની ૧૪ સભ્યની ટીમ વીડિયો કેમેરા સાથે હાજર રહી હતી અને તેમણે જ આ સમગ્ર આયોજનનું રેર્કોિંડગ કર્યું છે. તેમણે કહ્યું છે કે, 'રાષ્ટ્રગીત ગાવા એક લાખ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. અમે ગિનિસ વર્લ્ડ રેકોર્ડને એક અઠવાડિયામાં અમારો રિપોર્ટ સોંપી દઈશું અને ત્યાર પછી સત્તાવાર રીતે તેની જાહેરાત કરીશું.'
બીજી તરફ આયોજકોે કહે છે કે, 'એક લાખ ૨૫ હજારથી વધુ લોકો રાષ્ટ્રગીત ગાવા જોડાયાં હતાં તથા દરેક વ્યક્તિનાં કાંડા પર બેન્ડ બાંધવામાં આવ્યો હતો. અમે એક લાખના આંકડાને ધ્યાનમાં રાખ્યો હતો, પરંતુ સવા લાખ લોકો જમા થઈ ગયાં હતાં. રાષ્ટ્રગીત ગાયા બાદ નાસભાગ ન થાય તે માટે અમે કાર્યક્રમ જલદી સમેટી લીધો હતો.'
ગત ઓક્ટોબરમાં પાકિસ્તાને રેકોર્ડ તોડયો હતો
અગાઉ ઓક્ટોબર મહિનામાં પાકિસ્તાનના લાહોરસ્થિત નેશનલ હોકી સ્ટેડિયમમાં ૪૪,૨૦૦ લોકોએ એકત્રિત થઈને તેમનું રાષ્ટ્રગીત ગાયું હતું અને વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. આ પહેલાં સૌથી વધુ સંખ્યામાં રાષ્ટ્રગીત ગાવાનો રેકોર્ડ ભારતનાં નામે હતો. ભારતમાં ચાલુ વર્ષની શરૃઆતમાં ૧૫,૨૪૩ લોકોએ 'જન ગણ મન...' ગાઈને રેકોર્ડ કર્યો હતો.
  • માસ નેશનલ એન્થમમાં ભારત-પાકિસ્તાન
  • પાકિસ્તાન : ૫,૮૦૦ લોકોેએ એક સાથે રાષ્ટ્રગીત ગાવાનો રેકોર્ડ કર્યો.
  • ભારત : ૧૫,૨૪૩ લોકોએ એક સાથે રાષ્ટ્રગીત ગાવાનો પાકિસ્તાનનો રેકોર્ડ તોડયો.
  • પાકિસ્તાન : ૪૪,૨૦૦ લોકોએ એક સાથે રાષ્ટ્રગીત ગાઈ ભારતનો રેકોર્ડ તોડયો.
  • ભારત : એક લાખ લોકોએ ભેગા મળી રાષ્ટ્રગીત ગાઈ પાકિસ્તાનનો રેકોર્ડ તોડયો.

Saturday, December 8, 2012

Learn GANGMAN Style..



 
 Click here to join nidokidos

 

Psy teaches Ban Ki-moon 'Gangnam Style'UN Secretary-General Ban Ki-Moon learns how to dance  "Gangnam Style."

psy

Thursday, November 29, 2012

૧૯૫૨માં અમદાવાદ સિટી બેઠક પર પ્રથમ પેટાચૂંટણી યોજાઇ હતી


પેટાચૂંટણીઓનોરસપ્રદ ઇતિહાસ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો ઈતિહાસ જેટલો રોચક છે એટલો જ વિધાનસભાની પેટાચૂંટણીનો ઈતિહાસ રસપ્રદ છે. સામાન્ય ચૂંટણી બાદ વિધાયકોનાં રાજીનામાં, અવસાન કે અન્ય કોઈ કારણથી ખાલી પડતી બેઠક પર યોજાતી પેટાચૂંટણી પણ મતદારો અને ઉમેદવારો માટે આટલી મહત્ત્વની હોય છે. ગુજરાત રાજ્યની વર્ષ ૧૯૬૦માં સ્થાપના થઈ એ પૂર્વે દ્વિભાષી રાજ્ય મુંબઈ અને સૌરાષ્ટ્ર રાજ્યમાં રહેલા પ્રદેશો અને પ્રાંતોમાં ૬ વર્ષો દરમિયાન પેટાચૂંટણીઓ યોજાઈ હતી. ચૂંટણીપંચ પાસે જે વિગતો ઉપલબ્ધ છે એ મુજબ જોઈએ તો ૧૯૫૨ના વર્ષમાં મુંબઈ રાજ્યમાં સમાવિષ્ટ અમદાવાદ સિટીની બેઠક પરથી સોમનાથ પ્રભાશંકરનાં રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
વર્ષ ૧૯૫૨માં સૌરાષ્ટ્ર રાજ્યમાં રહેલા સાયલા, ચોટીલા, જામનગર સિટી, જામનગર, મોરબી- માળિયા તથા તળાજા-દાઠા બેઠક પર બે વખત પેટાચૂંટણી યોજાઈ હતી. તળાજા-દાઠા બેઠક પરની પ્રથમ પેટાચૂંટણીમાં લાલુભાઈ મણિયાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. સૌરાષ્ટ્ર સરકારમાં એ બાદ ૧૯૫૬માં ઉપલેટા અને ધ્રાંગધ્રા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. મુંબઈ રાજ્યની બેઠક લાઠી પર ૧૯૫૭ અને ભિલોડા ૧૯૫૮માં પેટાચૂંટણી યોજાઈ હતી. જ્યારે તળાજા બેઠક પર ફરી ૧૯૬૦માં પેટાચૂંટણી આવી હતી. ગુજરાત રાજ્યની રચના બાદ વર્ષ ૧૯૬૨માં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ. એ બાદ પ્રથમ વખત ૧૯૬૪માં ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી ચીખલી અને અમરેલી બેઠક માટે યોજાઈ હતી. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી જીવરાજ મહેતાના રાજીનામા બાદ ખાલી પડેલી અમરેલી બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. એ બાદ ૧૯૭૦માં તત્કાલીન વિરોધપક્ષના નેતા ભાઈલાલભાઈ પટેલના અવસાનથી ખાલી પડેલી સારસા બેઠક પર આ પ્રકારે ચૂંટણી થવા પામી હતી.
૧૯૭૫ની સામાન્ય ચૂંટણીમાં એક મહત્ત્વપૂર્ણ બનાવ બન્યો. વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડતા ગોવિંદભાઈ હરિભાઈ પટેલ નામના ઉમેદવારનું ચૂંટણી દરમિયાન જ મૃત્યું થયું હતું. એટલે, નિયમોનુસાર એ બેઠક પર ચૂંટણી રદ કરવામાં આવી હતી. બાદમાં ફરી ચૂંટણી યોજવામાં આવી હતી.
૧૯૭૮માં ખેડબ્રહ્મા, ૧૯૮૦માં રાજુલા, ઘોઘા, બરોડા, ૧૯૮૨માં લીમડી, જોડિયા, પાટડી અને ૧૯૮૪માં જેતપુરમાં તત્કાલીન ધારાસભ્ય શામજીભાઈના અવસાનથી ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
૧૯૮૫માં સયાજીગંજ, ૧૯૮૭માં મોડાસા, ૧૯૮૮ પાબારી જમનાદાસ ગોકુલદાસના અવસાનથી ખાલી પડેલી દ્વારકા અને ભરતભાઈ નારાયણભાઈના મૃત્યુથી ખાલી પડેલી માળિયા, ૧૯૯૧માં જામનગર, અમરેલી, ગોધરા, બોરસદ અને વાગરામાં બાય ઈલેકશન થયું હતું. ૧૯૯૭માં સરખેજ, ૧૯૯૮માં ભરૂચ, ૧૯૯૯માં જેતપુર અને જોડિયા, ૨૦૦૦માં ચોટીલા, ભાદરણ અને શહેર કોટડા, ૨૦૦૧માં સાબરમતી, ૨૦૦૨માં મહુવા અને રાજકોટ-૨ તથા સયાજીગંજ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી.
એ જ રીતે વર્ષ ૨૦૦૩માં સોનગઢ અને જમાલપુર ૨૦૦૪માં ભાણવડ, ખેડબ્રહ્મા, બોરસદ, વ્યારા અને ધરમપુર, ૨૦૦૯માં ચોટીલા, જસદણ, ધોરાજી, કોડીનાર, દહેગામ, સમી અને દાંતા ૨૦૧૦માં ચોટીલા અને કઠલાલ ૨૦૧૧માં ખાડિયા તથા ૨૦૧૨માં માણસા બેઠક પર ચૂંટણી યોજાઈ હોવાનું ચૂંટણી વિભાગ પાસે ઉપલબ્ધ વિગતો પરથી જ્ઞાત થાય છે. ગુજરાત રાજ્યના પ્રથમ વખત ૧૯૮૦ની સામાન્ય ચૂંટણી કુતિયાણા બેઠક પરથી મહંત વિજયદાસજી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

Monday, November 26, 2012

મોબાઇલ પર *૯૯# ડાયલ કરવાથી બેન્કિંગ સુવિધા પ્રાપ્ત થશે


મુંબઈ, તા. ૨૬
હાલમાં ૨૩ બેન્કોની સેવા બીએસએનએલ અને એમટીએનએલનાં નેટવર્ક પર ઉપલબ્ધ છે
હવે મોબાઇલ ફોન પરથી *૯૯# નંબર ડાયલ કરવાથી બેન્કબેલેન્સ, નવી ચેકબુક, ફંડ ટ્રાન્સફર સહિતની બેન્કિંગ સુવિધાઓ આંગળીનાં ટેરવે પ્રાપ્ત કરી શકાશે. ગયા શનિવારે પૂણેમાં યોજાયેલી નેશનલ બેન્કિંગ કોન્ફરન્સમાં આ સેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ સરકારના આર્િથક સમાવેશી કાર્યક્રમ હેઠળ આ સેવાની શરૂઆત કરી હતી.
એનપીસીઆઇના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ એ. પી. હોતાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક કક્ષાની મોબાઇલ બેન્કિંગ સેવા શરૂ કરવા માટે એનપીસીઆઇ દ્વારા નવી શરૂઆત કરવામાં આવી છે. હાલમાં આ પ્રકારની સેવા પ્રાપ્ત કરવા માટે સ્માર્ટફોનની જરૂર પડે છે, જોકે મોટાભાગના મોબાઇલ વપરાશકારો પાસે આવો ફોન જોવા મળતો નથી, આથી સામાન્ય મોબાઇલના ઉપયોગથી સમાજના મોટાભાગના વર્ગ સુધી બેન્કિંગસુવિધા પહોંચાડી શકાય તે માટે આ સેવાની શરૂઆત કરવામાં આવી છે.
હાલમાં ૨૩ બેન્કોની સેવા બીએસએનએલ અને એમટીએનએલનાં નેટવર્ક પર ઉપલબ્ધ છે. એ. પી. હોતાએ કહ્યું હતું કે, કુલ ૧૪ મોબાઈલ ઓપરેટર્સ હોવાથી આ સેવાનો સંપૂર્ણ અમલ થતાં હજુ થોડી વાર લાગશે. આ સેવાની કામગીરી અંગે જાણકારી આપતાં એ. પી. હોતાએ જણાવ્યું હતું કે, જેવી રીતે લોકો ઇમરજન્સી નંબર્સ જેવા પોલીસ માટે ૧૦૦ અને આગ માટે ૧૦૧ નંબર ડાયલ કરે છે તેવી જ રીતે બેન્કિંગ માટે *૯૯# નંબર કામ કરે છે. એનપીસીઆઇને બેન્કિંગ માટે પણ આવા પ્રકારના સામાન્ય નંબરની જરૂર હતી. તમામ બેન્કોનાં ખાતાંની વિગતો મેળવવા માટે *૯૯# યુનિવર્સલ કોડ હશે. આ પ્રોજેક્ટની ત્રણ મહિના પહેલાં પ્રાયોગિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને એનપીસીઆઇ હાલમાં ટેલિકોમ કંપનીને દરેક વ્યવહારદીઠ ૨૫ પૈસા ચૂકવી રહી છે.

મોબાઇલ પર *૯૯# ડાયલ કરવાથી બેન્કિંગ સુવિધા પ્રાપ્ત થશે


મુંબઈ, તા. ૨૬
હાલમાં ૨૩ બેન્કોની સેવા બીએસએનએલ અને એમટીએનએલનાં નેટવર્ક પર ઉપલબ્ધ છે
હવે મોબાઇલ ફોન પરથી *૯૯# નંબર ડાયલ કરવાથી બેન્કબેલેન્સ, નવી ચેકબુક, ફંડ ટ્રાન્સફર સહિતની બેન્કિંગ સુવિધાઓ આંગળીનાં ટેરવે પ્રાપ્ત કરી શકાશે. ગયા શનિવારે પૂણેમાં યોજાયેલી નેશનલ બેન્કિંગ કોન્ફરન્સમાં આ સેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ સરકારના આર્િથક સમાવેશી કાર્યક્રમ હેઠળ આ સેવાની શરૂઆત કરી હતી.
એનપીસીઆઇના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ એ. પી. હોતાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક કક્ષાની મોબાઇલ બેન્કિંગ સેવા શરૂ કરવા માટે એનપીસીઆઇ દ્વારા નવી શરૂઆત કરવામાં આવી છે. હાલમાં આ પ્રકારની સેવા પ્રાપ્ત કરવા માટે સ્માર્ટફોનની જરૂર પડે છે, જોકે મોટાભાગના મોબાઇલ વપરાશકારો પાસે આવો ફોન જોવા મળતો નથી, આથી સામાન્ય મોબાઇલના ઉપયોગથી સમાજના મોટાભાગના વર્ગ સુધી બેન્કિંગસુવિધા પહોંચાડી શકાય તે માટે આ સેવાની શરૂઆત કરવામાં આવી છે.
હાલમાં ૨૩ બેન્કોની સેવા બીએસએનએલ અને એમટીએનએલનાં નેટવર્ક પર ઉપલબ્ધ છે. એ. પી. હોતાએ કહ્યું હતું કે, કુલ ૧૪ મોબાઈલ ઓપરેટર્સ હોવાથી આ સેવાનો સંપૂર્ણ અમલ થતાં હજુ થોડી વાર લાગશે. આ સેવાની કામગીરી અંગે જાણકારી આપતાં એ. પી. હોતાએ જણાવ્યું હતું કે, જેવી રીતે લોકો ઇમરજન્સી નંબર્સ જેવા પોલીસ માટે ૧૦૦ અને આગ માટે ૧૦૧ નંબર ડાયલ કરે છે તેવી જ રીતે બેન્કિંગ માટે *૯૯# નંબર કામ કરે છે. એનપીસીઆઇને બેન્કિંગ માટે પણ આવા પ્રકારના સામાન્ય નંબરની જરૂર હતી. તમામ બેન્કોનાં ખાતાંની વિગતો મેળવવા માટે *૯૯# યુનિવર્સલ કોડ હશે. આ પ્રોજેક્ટની ત્રણ મહિના પહેલાં પ્રાયોગિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને એનપીસીઆઇ હાલમાં ટેલિકોમ કંપનીને દરેક વ્યવહારદીઠ ૨૫ પૈસા ચૂકવી રહી છે.

Thursday, November 8, 2012

Ten Point Program for happy Family



2. Do not expect perfection from your spouse: Marriage is coming together of two imperfect beings. Don't expect wife or husband to like this or that, accept them as they are.

3. Be a Good Listener: Think before speaking, it is a good idea to weigh before you speak. You are master of unspoken words but slave of spoken words. Better than listening from ear is listening through mind (with attention) and better than that is listening from heart.

4. Be a good forgiver: Some people forgive but they keep the memory alive or they forgive conditionally. Forgiveness should be complete and unconditional.

5. Grow in the spirit of humility: Be humble. Egos bring arrogance which divide and separate people.

6. Learn the art of appreciation: We all like to be appreciated. Always appreciate in front of others. Never criticize in a company of friends and relatives, you will get opportunities in privacy.

7. Do not argue: Winning love and friendship is far greater than winning an argument. It is OK to discuss with a open mind. Learn to win love and affection rather than arguments.

8. Develop healthy sense of humor: Learn to laugh and be cheerful. It is a great tonic for healthy living and being accepted by friends. It is important to laugh with others and NOT at others.

9. Always lend a helpful hand: You will win over if you have this attitude of offering a helpful hand with or without asking.

10. Bring GOD back into your home: This is one of the most important one. Have a common time for prayers. It brings families together. Families that pray together stays together.

Wednesday, November 7, 2012

અમેરિકાની પ્રતિનિધિસભામાં પ્રથમ હિંદુ સભ્યનો પ્રવેશ


વોશિંગ્ટન :
એમી બેરાને પ્રચાર વખતે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ક્લિન્ટનનું સમર્થન પ્રાપ્ત થયું હતું
અમેરિકાની પ્રતિનિધિ સભામાં પ્રવેશ મેળવનારા એમી બેરા પહેલાં હિંદુ સભ્ય બની ગયા છે. એમી બેરા ભારતીય મૂળના ત્રીજા એવા અમેરિકન નાગરિક છે જેમને કેલિર્ફોિનયાની બેઠક પરથી પ્રતિનિધિસભા માટે પસંદ કરી લેવામાં આવ્યા હતા. ૪૫ વર્ષના બેરા પહેલા એવા હિંદુ છે જેમણે પ્રતિનિધિસભાના સભ્ય બનીને ઇતિહાસ રચ્યો છે, જોકે ભારતીય મૂળના ઉપેન્દ્ર ચિવુકુલા ન્યૂજર્સીથી, પેન્સિલ્વેનિયાથી ડો. મનન ત્રિવેદી, મિશિગનથી સૈયદ તાજ અને કેલિર્ફોિનયાથી જેક ઉપ્પલ પ્રતિનિધિસભા માટેની ચૂંટણી હારી ગયા છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર સહિત ભારતીય મૂળના છ અમેરિકન નાગરિકોએ પ્રતિનિધિસભા માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. એમી બેરા પ્રતિનિધિ સભામાં પહોંચનારા પહેલા હિંદુ છે. આશરે ૫૦ વર્ષ પહેલાં એમી બેરાનાં માતા-પિતા અમેરિકા આવ્યાં હતાં. આ ચૂંટણી અભિયાનમાં બેરાને પૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટનનું સમર્થન પ્રાપ્ત થયું હતું.

Sunday, October 21, 2012

વીઝા અને માસ્ટર કાર્ડ સાથે મુકાબલો કરશે રૂપે ગેટવે

નવી દિલ્હી 21, ઓક્ટોબર

ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પેમેન્ટ પર એક હથ્થુ શાસન જમાવીને બેઠેલ વીસા અને માસ્ટર કાર્ડને આપણા 'રૂપે' ની જોરદાર ટક્કર મળશે. રૂપે આપણા ભારતનું પહેલું સ્વદેશી પેમેન્ટ ડેટવે છે, જેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા(એનપીસીઆઈ)એ તૈયાર કર્યું છે. જલ્દી રૂપે પોતાના પ્રતિદ્વંદી સામે બરાબર મેદાનમાં આવી જશે. હાલમાં રૂપે ડેવલપમેન્ટના બીજા સ્ટેજમાં છે, પરંતુ તેને માર્ચ 2013 સુધીમાં શરૂ કરવામાં આવશે. આવતા વર્ષના માર્ચ સુધીમાં રૂપે ઈંટરનેશનલ ડેબિટ કાર્ડ અને માર્ચ 2015 સુધી રૂપે દ્વારા ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની તૈયારી ચાલું છે. 

હાલમાં બે લાખ રૂપે એટીએમ બજારમાં શામેલ છે. યૂનિયન બેંક, બેંક ઓફ ઈન્ડીયા,સ એસબીઆઈ અને એક્સિસ બેંકે રૂપે ડેબિટ કાર્ડને જોઈન કર્યાં છે.આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંક પણ રૂપે નેટવર્કમાં શામેલ થઈ જશે.

Sunday, October 14, 2012

તમારી પસંદગીનો મોબાઈલ નંબર જોઈતો હોય તો આ રીતે સરળતાથી મળી જશે!

નવી દિલ્હી, તા. 14

ખાસ મોબાઈલ નંબરની ઈચ્છા રાખતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) ગ્રાહકોને 8300000000, 8300001234, 8300012345, 8300001000 જેવાં ખાસ નંબરો મેળવવાનો અવસર આપી રહ્યું છે. નંબર મેળવવા માટે તમારે બોલી લગાવવી પડશે. સાથે સાથે તમારું પૉકેટ ખાલી કરવું પડશે. તમારે ખાસ નંબર મેળવવા માટે તેની ખાસીયતનાં આધાર પર રૂપિયા 2000થી લઈને 25 હજાર સુધી બોલી લગાવવી પડશે.

બીએસએનએલના ખાસ પ્રીમિયમ નંબર્સની હરાજીની પ્રક્રિયા આ સમયે ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેસ, હરિયાણા, ગુજરાત, અસમ અને આંદામાન-નિકોબારમાં ચાલી રહી છે. આ માટે ગ્રાહકોએ બીએસએનએલની ઈ-ઑક્શન વેબસાઈટ પર જઈને બોલી લગાવવી પડશે. ગ્રાહક ઈ-ઑક્શન વેબસાઈટ પર લૉગ-ઈન કરીને નોંધણી કરાવીને બોલી લગાવવાની પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

ઉત્તર પ્રદેશના ગ્રાહક હરાજીની પ્રક્રિયામાં 18 ઑક્ટોબરના રોજ, હરિયાણાના ગ્રાહક 21 ઑક્ટોબર, હિમાચલ પ્રદેશનાં ગ્રાહક 14, અસમ 21 અને આંદામાન અને નિકોબારના ગ્રાહક 14 ઑક્ટોબરના રોજ સુધી સામેલ થઈ શકે છે. બીએસએનએલે આની માટે નંબરોના ત્રણ પેટર્ન રાખ્યા છે. જે અંતર્ગત લઘુત્તમ બેસ પ્રાઈસ રાખવામાં આવ્યા છે.

કંપનીએ આની આધારે લઘુત્તમ બેસ પ્રાઇઝ 2 હજારથી લઈને 25 હજાર રૂપિયા સુધી રાખ્યા છે. આ નંબર સામાન્ય ગ્રાહકોની સાથે સાથે કૉર્પોરેટ, સંસ્થા વગેરે માટે પણ ઉપલબ્ધ હશે.

લો હવે ટ્રેનમાં પણમાં શોપિંગની મજા માણી શકાશે


નવી દિલ્હી, તા. ૧૪
  • લાંબા અંતરની શતાબ્દી ટ્રેનમાં લક્ઝરી પ્રોડક્ટ વેચવાની રેલવેની યોજના
  • ભોપાલ શતાબ્દીમાં સૌપ્રથમ સુવિધા શરૂ કરવામાં આવશે
લાંબા અંતરની શતાબ્દી ટ્રેનોની સફર હવે વધુ સુવિધાજનક થવા જઈ રહી છે. રેલવેએ શતાબ્દીની મુસાફરી દરમિયાન કેટલીક લક્ઝરી પ્રોડક્ટ્સનાં વેચાણની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર,શતાબ્દી ટ્રેનના એક્ઝિક્યુટિવ ક્લાસ તથા ચેર કાર્સમાં પરફ્યુમ,ત્વચા પર લગાવવામાં આવતાં ક્રીમ, હેન્ડબેગ, ઘડિયાળ, જ્વેલરી તથા ગિફ્ટમાં આપવામાં આવતી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, ચોક્લેટપ્રેમીઓ માટે ઘણી સ્વાદિષ્ટ પ્રોડક્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શતાબ્દી ટ્રેનમાં પાઇલટ આધાર પર એક મહિના માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી એક કંપનીને સોંપવામાં આવી છે. આ સુવિધા ટૂંક સમયમાં જ ભોપાલ શતાબ્દીમાં શરૂ થશે અને તેને મળનારી પ્રતિક્રિયાઓ બાદ મુંબઈ-અમદાવાદ તથા અન્ય શતાબ્દી ટ્રેનોમાં પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે.રેલવે દીર્ઘકાલીન આધાર પર પ્રત્યેક શતાબ્દી ટ્રેનમાં બે ટ્રોલીની સુવિધા આપવામાં આવશે. શતાબ્દી ટ્રેનોમાં નિયમિત રીતે ખરીદીની સુવિધા અંગે કંપનીઓની પસંદગી માટે ટેન્ડરપ્રક્રિયા પણ શરૂ કરાશે.
રેલવે શતાબ્દી ટ્રેનોમાં મનોરંજનની સુવિધા પણ શરૂ કરાવવાની યોજના બનાવી રહ્યું છે, જેમાં મુસાફરો સેટેલાઇટ મારફતે સિનેમા અને ટીવી સિરિયલ દેખી શકશે. આ ઉપરાંત ચાલુ ટ્રેનમાં સાફસફાઈ વધુ સારી બનાવવાના પ્રયાસ પણ રેલવે દ્વારા થઈ રહ્યા છે. અધિકારીએ ઉમેર્યું છે કે, અમારું લક્ષ્ય ટ્રેનોમાં મુસાફરોને વધુ સુવિધા પૂરી પાડવાનું છે.

Friday, October 12, 2012

Contest


GGN Contest

તમે ખૂબ સરસ લખી જાણો છો... તમારું લખાણ તમારી આગવી શૈલીના કારણે અન્યના લખાણ કરતાં અલગ તરી આવે છે, પરંતુ તમારું લખાણ કોઈને વંચાવતા તમે ખૂબ સંકોચ અનુભવો છો. કેટલાક વળી એવા પણ હશે કે જેઓ પોતાનું લખાણ કે કવિતા નજીકના સ્વજનો કે મિત્રોને વંચાવવાની હિંમત કરી લેતાં હશે.  તમે મિત્રો અને સ્વજનોએ લખાણ વાંચીને કરેલાં વખાણને સાંભળીને હરખાયા હશો! પરંતુ તમારી કૃતિને સંકોચવશ ક્યાંય છપાવવા નહીં મોકલી હોય, તમે એવું પણ વિચાર્યું હશે કે મારી કૃતિને વળી કોણ છાપવાનું?! આવા કોઈને કોઈ કારણસર તમારી અભિવ્યક્તિને શબ્દદેહ આપવાનું શક્ય નથી બન્યું તો તમારા માટે એક સોનેરી તક લઇને આવ્યું છે જીજીએન.

ગ્લોબલ ગુજરાત ન્યૂઝ –જીજીએન (સ્પાર્ક બ્રોડકાસ્ટિંગ પ્રા.લિ. નું સાહસ) સાહિત્યપ્રેમીઓ માટે લઈને આવ્યું છે લેખનસ્પર્ધા. જીવનમાં ઘટતી સંવેદનશીલ ઘટનાઓથી માંડીને સમાજજીવનના સ્વાનુભવો, સાંપ્રત ગુજરાત પ્રત્યેનો દ્રષ્ટિકોણ, સામાજિક સમસ્યાઓ અને એ માટેની જાગૃતિ અંગે દેશ-વિદેશના ગુજરાતીઓ આ લેખનસ્પર્ધામાં ભાગ લઈ શકશે.

જીજીએન  લેખનસ્પર્ધામાં આપને તક મળશે સાહિત્યિક રુચિને વિકસાવવાની, સાંપ્રત રાજકીય પ્રવાહો અંગેનાં મંતવ્યો અને વ્યંગને નિર્ભિક બનીને વ્યક્ત કરવાની. ઉત્કૃષ્ટ કૃતિઓને www.globalgujaratnews.com  ના ‘શબ્દસૃષ્ટિ’ વિભાગમાં સ્થાન આપવામાં આવશે અને શ્રેષ્ઠત્તમ  કૃતિઓને જીજીએન દ્વારા ટૂંક જ સમયમાં પ્રકાશિત થનારા પખવાડિક સામયિકમાં પણ પ્રકાશિત કરવામાં આવશે અને યોગ્ય પુરસ્કારથી નવાજવામાં આવશે.
સ્પર્ધકો ચાર અલગ અલગ શ્રેણીમાં પોતાની રચનાઓ મોકલાવી શકે છે.

વિષય:
  1. પ્રણય જ્યારે પલટાયો પરિણયમાં
     
  2. ટૂંકીવાર્તા
     
  3. વ્યંગાત્મક લખાણ
     
  4. કવિતા-ગઝલ

પ્રણય જ્યારે પલટાયો પરિણયમાં

આપે અથવા નિકટના કોઇક સ્વજન કે મિત્રોએ પ્રેમપંથની પાવક જ્વાળા પર ચાલીને, પોતાના અસીમ પ્રેમને પરિણયમાં પલટાવ્યો હશે. મનગમતા જીવનસાથીને પામીને જીવનનાં સર્વોચ્ચ શિખરો સર કરી આગળ વધેલાં યુગલોની સફળ પ્રણયગાથા અમને લખી મોકલો 750 થી 900 શબ્દોની મર્યાદામાં.

વાસ્તવિક પ્રણયગાથા લખનારા સર્જકો વિશેષ નોંધ લે કે આ શ્રેણીમાંતમારી પોતાની, તમારા સ્વજનની કે પરિચિત યુગલની સત્ય પ્રણયકથા, તેમના જીવનની તડકીછાંયડીને આપેલા શબ્દોની મર્યાદામાં રસપ્રદ રીતે લખી મોકલવાની રહેશે.

જે યુગલની પ્રણયગાથા લખીને મોકલો તેમના સહજીવનને ઓછામાં ઓછાં પાંચ વર્ષ થયાં હોય તે અનિવાર્ય છે.

આ શ્રેણીમાં જે યુગલની પ્રણયગાથાનું નિરૂપણ કર્યું હોય તેમના ફોટોગ્રાફ્સ, ફોનનંબર, સરનામું, વ્યવસાય, અભ્યાસની સાચી માહિતી અલગથી મોકલવી.

ટૂંકીવાર્તા

સામાજિક પ્રશ્નો અને તેના ઉકેલ તથા સામાજિક વિકાસને ઉજાગર કરતાં વિષયવસ્તુ સાથે રસાળશૈલીમાં ટૂંકીવાર્તા 400થી 600 શબ્દોની મર્યાદામાં લખી મોકલવાની રહેશે.

સ્પર્ધામાં જે ટૂંકીવાર્તા મોકલાવો તે વાસ્તવિકતા સાથે સંલગ્ન ન હોય તો ચાલશે, પરંતુ કૃતિ મૌલિક હોવી આવશ્યક છે.

વ્યંગાત્મક લખાણ

વ્યંગાત્મક લખાણ 300 થી 500 શબ્દોમાં લખાયેલું હોવું જોઈએ.

વ્યંગાત્મક લખાણના વિષયવસ્તુ તરીકે રાજકારણ, સાંપ્રત પ્રવાહો, દેશ–દુનિયાની ઘટનાઓ, વહીવટીતંત્ર લઈ શકાય.

કવિતા-ગઝલ

ઘણા યુવા અને પીઢ સર્જકો એવા હશે જેઓ ટૂંકીવાર્તા અને વ્યંગાત્મક લખાણ ઉપરાંત ભાવવાહી કવિતાનું સર્જન કરી શકતાં હોય છે. આ પ્રકારનું કૌશલ્ય ધરાવનાર 150 થી 200 શબ્દોની મર્યાદામાં સ્વરચિત કવિતા અથવા ગઝલ લખીને મોકલાવી શકે છે.

આ સ્પર્ધામાં જે ગઝલ કે કવિતા મોકલાવો તે મૌલિક હોવી આવશ્યક છે.

વિજેતા કૃતિને ટૂંક સમયમાં જ પ્રકાશિત થનારા મેગેઝિનમાં પ્રસિદ્ધ કરીને વિજેતા લેખકોને આગવું મંચ પૂરું પાડવામાં આવશે. તદ્ઉપરાંત સર્જકને યોગ્ય પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે.

સ્પર્ધકે ધ્યાનમાં રાખવાની વિગતો
  • આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ પ્રવેશ ફી નથી.
     
  • તમારી રચના સાથે તમારું નામ, સરનામું, ફોન નંબર, ઇ-મેઇલ આઈડી, ક્લોઝઅપ ફોટોગ્રાફ, અભ્યાસ તથા વ્યવસાયની સાચી વિગતોની માહિતી આપવી અનિવાર્ય છે.
     
  • જો આપની રચના ઇ-મેઇલ દ્વારા મોકલો તો આપનો ફોટોગ્રાફ સ્કેન કરીને મોકલવાનો રહેશે.
     
  • સ્પર્ધામાં મોકલાયેલી કૃતિ આ પહેલાં ક્યાંય પ્રસિદ્ધ કે પ્રકાશિત ન થઈ હોવી જોઈએ.
     
  • વિજેતા નક્કી કરવા અંગેના અને કૃતિને પ્રકાશિત કરવા કે ન કરવા અંગેના તમામ હક સંપાદકીય વિભાગના રહેશે.
     
  • લખી મોકલાવેલી વાર્તા કે કૃતિમાં કોઈની નકલ થયેલી માલૂમ પડશે તો તેનો પ્રવેશ રદ ગણાશે.
     
  • કૃતિ મોકલવાની અંતિમ તારીખ 31-10-2012 છે.

આપની રચનાઓ  અમને contest.ggn@gmail.com   પર ઇ-મેઇલ કરો અથવા તો નિમ્નલિખિત સરનામે મોકલી આપશો.


ગ્લોબલ ગુજરાત ન્યૂઝ
C/O સ્પાર્ક બ્રોડકાસ્ટિંગ પ્રા. લિ.
201, ત્રીજો માળ, એસ. કે હાઉસ, ડ્રાઇવ ઇન સિનેમા સામે,
ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ-3800054
ફોન નંબર 40307637, 26850577
www.globalgujaratnews.com

એટીએમ કાર્ડ વિના એટીએમમાંથી પૈસા નીકળી જાય.


ATM મશીનમાંથી એટીએમ કાર્ડ વિના પૈસા કેવી રીતે કાઢશો
જેમ જેમ દેશમાં બેન્ક એકાઉન્ટધારકોની સંખ્યા વધી રહી છે, તેમ તેમ યુઝરોમાં એટીએમ મશીનો અને એટીએમ કાર્ડનું ચલણ પણ વધી રહ્યું છે. એટીએમ કાર્ડ તમને તમારા જમા કરાવાયેલા પૈસા કાઢવાની આઝાદી આપે છે. પણ આ બધાની વચ્ચે એટીએમ મશીનમાંથી પૈસા કાઢવા જતી વખતે જો તમે તમારૂં એટીએમ કાર્ડ ઘરે જ ભૂલી જાઓ તો તમારે પાછા જવું પડશે. પણ વિચારો કે જો એટીએમ કાર્ડ વિના જ એટીએમ મશીનમાંથી પૈસા નીકળી શકે તો, કેવું રહેશે?

તમે વિચારી રહ્યા હશો કે આવું કેવી રીતે બની શકે કે એટીએમ કાર્ડ વિના એટીએમમાંથી પૈસા નીકળી જાય. પણ આ શક્ય બની ચૂક્યું છે. બેન્કો પોતાનાં ગ્રાહકોને આ સેવા પૂરી પાડવા માટે આગળ વધી રહી છે. એટીએમ અને ડેબિટ કાર્ડ વગર પૈસા કાઢવાની રીત અંગે વધુ જાણવા ક્લિક કરો આગળ- નોંધ: હાલમાં આ સુવિધા ફક્ત ઇન્ડસઇન્ડ બેન્ક જ આપે છે.

ATM મશીનમાંથી એટીએમ કાર્ડ વિના પૈસા કેવી રીતે કાઢશો
આ સુવિધા મેળવવા માટે સૌથી પહેલા તમારે જે તે બેન્કમાં પોતાને રજિસ્ટર કરાવવાનાં રહેશે. આ રજિસ્ટ્રેશન બેન્કની શાખા કે ઇન્ટરનેટ બેંકિંગની મદદથી કરી શકો છો. રજિસ્ટ્રેશન માટે તમારે બેન્ક કસ્ટમર સર્વિસ સેન્ટર પર કોલ કરવાનો વિકલ્પ પણ મળે છે.









ઈન્ડિયન એરફોર્સ વિશ્વની ચોથી શક્તિશાળી વાયુસેના


Oct 09, 2012

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
ઈન્ડિયન એરફોર્સે બે દિવસ પહેલાં ૮મી ઓક્ટોબરે પોતાની ૮૦મી વર્ષગાંઠ મનાવી હતી. બ્રિટિશરાજ દરમિયાન અસ્તિત્વમાં આવેલી ઈન્ડિયન એરફોર્સે ૮૦ વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરીને અલગ ઓળખાણ બનાવી છે. આઝાદી પહેલાં બ્રિટન માટે અને આઝાદી બાદ ભારત માટે કટોકટીની પળોએ મહત્ત્વની ભૂમિકા અદા કરનાર ઈન્ડિયન એરફોર્સે જરૂર પડયે સંયુક્ત રાષ્ટ્રનાં અભિયાનોમાં પણ ભાગ લીધો છે. ભારતીય વાયુસેનાની ગણના અત્યારે વિશ્વની ચોથા નંબરની સૌથી શક્તિશાળી હવાઈ તાકાત તરીકે થાય છે ત્યારે ઈન્ડિયન એરફોર્સની અહીં સુધીની સફર પર વિહંગાવલોકન.
આઝાદી પૂર્વેની રોયલ ભારતીય વાયુસેના
૧૯૩૨ 
૮મી ઓક્ટોબરે બ્રિટનના શાસનમાં બ્રિટિશની રોયલ એરફોર્સની સહાયક ટુકડી તરીકે ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. રોયલ એરફોર્સની પેટા સંસ્થા તરીકે ભારતીય એરફોર્સે તેમનો ડ્રેસ અને પ્રતીક અપનાવી લીધાં. ભારતીય વાયુસેનાની પહેલી સ્કવોર્ડનમાં ચાર વેસ્ટલેન્ડ વાપિટી લડાકુ વિમાન અને પાંચ પાઇલટ હતાં. આ ટીમને ફાઈટ લેફ્ટનન્ટ સેસિલ બાઉશરે નેતૃત્વ પૂરું પાડયું હતું. ૧૯૪૧ સુધી વાયુસેના પાસે આ એકમાત્ર સ્કવોર્ડન હતી અને એમાં જ બે વિમાનો વધુ ફાળવી દેવાયાં હતાં.
૧૯૪૩
ભારતીય વાયુસેનાએ આ વર્ષે નોંધપાત્ર પ્રગતિ કરી હતી. હવે વાયુસેના પાસે સ્કવોર્ડનની સંખ્યા વધીને સાત થઈ ગઈ હતી. ૧૯૪૫નું વર્ષ આવતાં આવતાં તો વધુ બેનો ઉમેરો થઈને કુલ સંખ્યા નવની થઈ ગઈ, જેમાં ઉપરથી બોમ્બમારો કરી શકવા સક્ષમ વલ્ટી વેન્જેન્સ અને હરિકેન સહિત એટલાન્ટ અને ઓડક્ષ જેવાં તે સમયનાં પાવરફુલ વિમાનોનો પણ સમાવેશ થતો હતો.
૧૯૪૫
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય વાયુ સેનાએ રોયલ એરફોર્સની સહાયક ટીમ તરીકે મહત્ત્વની કામગીરી નિભાવી, ભારતીય વાયુસેનાએ બર્મા (મ્યાનમાર) તરફ આગળ વધી રહેલી જાપાનની સેનાને આગળ વધતી અટકાવવામાં સારી એવી કામગીરી કરી હતી. જેની નોંધ લઈને રાજા જ્યોર્જ છઠ્ઠાએ ભારતીય વાયુસેનાને'રોયલ'ની ઉપાધિ આપીને સન્માનિત કરી.
૧૯૪૭ 
બ્રિટનના તાબા હેઠળથી ભારતને આઝાદી મળી પણ અખંડ ભારતમાંથી ભારત અને પાકિસ્તાન એમ બે દેશો અસ્તિત્વમાં આવ્યા. આ સમયે દેશની અન્ય સંપત્તિની જેમ વાયુ સેનાને પણ બે ભાગમાં વહેંચવામાં આવી. કુલ ૧૦ ઓપરેશન સ્કવોર્ડનમાંથી ૩ સ્કવોર્ડન અને રોયલ ભારતીય વાયુસેનાનાં પાકિસ્તાનસ્થિત મથકો પાકિસ્તાનને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો. રોયલ ભારતીય વાયુસેનાના બીજા ભાગને રોયલ પાકિસ્તાન એરફોર્સ એવું નામ આપવામાં આવ્યું. રોયલ ભારતીય એરફોર્સમાં એક ફેરફાર એ કરવામાં આવ્યો કે બ્રિટન એરફોર્સમાં વપરાતા ચક્રને બદલે એ સ્થાન અશોકચક્રને આપવામાં આવ્યું.
૧૯૪૮
ભાગલા પછી તરત જ બંને દેશ વચ્ચે સરહદને લઈને અને ખાસ કરીને જમ્મુ-કશ્મીરના અમુક ભાગને લઈને ઘર્ષણ થયું. કશ્મીરના મહારાજાએ ભારતમાં જોડાઈ જવાનો નિર્ણય કર્યો એટલે પાકિસ્તાનની સેના કશ્મીરની સરહદ તરફ આગળ વધવા લાગી. મહારાજાએ ભારતીય સૈન્યની મદદ મેળવી. ભારતીય સૈન્યને સરહદ પર ઉતારવાનું કામ ભારતીય વાયુસેનાએ સફળતાપૂર્વક કર્યું. ભારત-પાકિસ્તાનના આ ઘર્ષણમાં બંને દેશની વાયુસેનાએ સામસામે લડાઈ કરવાની ન હતી, છતાં ભારતીય સેનાને રોયલ ઈન્ડિયન એરફોર્સનો મહત્ત્વનો સહકાર સાંપડયો હતો.
૧૯૫૦
ભારત ગણતંત્ર રાષ્ટ્ર બન્યું એટલે રોયલ ભારતીય સેનામાંથી બ્રિટનની ઓળખ એવો 'રોયલ' શબ્દ હટાવી દેવામાં આવ્યો અને એ સાથે જ વિશેષ ચિહ્ન તરીકે ભારતીય રાષ્ટ્રધ્વજને સ્થાન આપવામાં આવ્યું. વળી, ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણના મુખે બોલાયેલા શ્લોકમાંથી 'નભઃ સ્પૃશં દિપ્તમ્' વાક્યને મુદ્રાલેખ બનાવવામાં આવ્યો.
૧૯૬૧
ભારતીય સરકારે પોર્ટુગીઝોને દીવ, દમણ અને ગોવાથી ખદેડવાનો નિર્ણય કરીને લાલ આંખ કરી. ઓપરેશન વિજય અંતર્ગત વાયુસેનાને ભારતીય લશ્કરને સહાય કરવાનું કામ સોંપવામાં આવ્યું. ૧૮ ડિસેમ્બર, ૧૯૬૧ના દિવસે કૈનબરા બોમ્બર્સે ડાબોલિમ હવાઈપટ્ટી પર બોમ્બમારો કર્યો. બીજી તરફ મૈસ્ટર્સ વિમાનોએ દમણમાં પોર્ટુગીઝ સૈન્ય પર હુમલો કરીને તેની કમર તોડી નાંખી. બાકીનું કામ તુફાનીઝ વિમાને દીવના રનવે પર હુમલો કરીને પૂરૂં કર્યું.
૧૯૬૨
ઓક્ટોબર માસમાં ભારત-ચીન વચ્ચે યુદ્ધ શરૂ થયું. ભારત તરફથી યુદ્ધની યોગ્ય રણનીતિ ઘડી ન શકાઈ એટલે ધારી સફળતા મળી શકી નહીં. જોકે, ૨૦ ઓક્ટોબરથી ૨૦ નવેમ્બર સુધી ભારતીય વાયુ સેનાએ દબાણ હેઠળ વિષમ પર્વતીય પ્રદેશોમાં પહોંચીને ભારતીય લશ્કરને પુરવઠો પૂરો પાડયો હતો. તેમ છતાં વાયુસેનાનો ક્ષમતા પ્રમાણે ઉપયોગ કરવામાં ભારતને સફળતા ન મળી પરિણામે ચીનના સૈન્ય સામે ભારતની પીછેહઠ થઈ.
૧૯૬૫
ચીન સામેના યુદ્ધમાંથી ધડો લઈને આ વખતે પાકિસ્તાન સામે કશ્મીરના મુદ્દે છેડાયેલા જંગમાં ભારતીય વાયુસેનાનો ઉપયોગ વ્યૂહાત્મક રીતે કરીને ભારતે પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો કરી દીધો. વાયુસેનાએ મૈસ્ટર્સ, કૈનબરા, હંટર,નૈટ અને એફ.બી.એમ.કે-૫૨ની મદદથી પાકિસ્તાનની છાવણીમાં સોપો પાડી દીધો. ભારત પાસે અમુક યુદ્ધ વિમાનો બીજા વિશ્વયુદ્ધ પહેલાંનાં હોવા છતાં પાકિસ્તાનનાં અત્યાધુનિક ફાઈટર વિમાનો પર ભારત ભારે પડયું. વાયુસેનાએ પહેલી વખત દુશ્મનોનાં ફાઈટર વિમાનો સાથે સીધી લડત કરી અને ધારી સફળતા પણ મેળવી.
૧૯૭૧
૨૨ નવેમ્બર, ૧૯૭૧ના દિવસે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી યુદ્ધ થયું અને ફરીથી ભારતીય વાયુસેનાએ મહત્ત્વની ભૂમિકા નિભાવી. ૧૯૬૫ના યુદ્ધ પછી ભારતીય વાયુસેના વધુ સજ્જ અને સમૃદ્ધ બનાવાઈ હોવાનો ફાયદો પણ મળ્યો. હવે એરફોર્સ પાસે રશિયન બનાવટના મિગ-૨૧ અને સુખોઈ સૂ-૭ જેવાં તેજ રફતારવાળાં યુદ્ધ વિમાનો પણ હતાં જે આ યુદ્ધમાં મહત્ત્વનાં સાબિત થયાં. આ યુદ્ધમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં ૫૪ યુદ્ધવિમાનો સહિત કુલ ૯૪ વિમાનોનો ખાતમો બોલાવ્યો હતો.
૧૯૮૪
૧૩ એપ્રિલ, ૧૯૮૪ના રોજ સિયાચીન માટે ભારતે ઓપરેશન મેઘદૂત શરૂ કર્યું. આ ઓપરેશનમાં વાયુસેનાએ સિયાચીનના મુશ્કેલ પ્રદેશમાં સૈનિકોને ઉતારવાની જવાબદારી ઉપાડી હતી. મીગ-૮, ચેતક અને ચિત્તા હેલિકોપ્ટર્સની મદદથી વાયુસેનાએ ઊંચા, વિષમ અને ઠંડા પ્રદેશમાં ગણના પામતા સિયાચીનમાં સૈનિકોને તેમના જરૂરી શસ્ત્રસરંજામ સાથે પહોંચાડયાં હતાં. આ અભિયાનથી સિયાચીનના ભાગો પર ભારતે ફરીથી પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું હતું અને આ કામમાં એરફોર્સની ભૂમિકા યશસ્વી રહી હતી.
૧૯૯૯
૧૧ મે, ૧૯૯૯માં પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધનાં મંડાણ થયાં. ઓપરેશન સફેદ સાગર અંતર્ગત ભારતીય વાયુ સેનાએ મીગ-૨૭, મીગ-૨૧, મીગ-૨૯ જેવાં શક્તિશાળી લડાકુ વિમાનોની મદદથી પાકિસ્તાનની સેના પર ભીંસ વધારી દીધી. વાયુ સેનાની પ્રશંસનીય કામગીરીથી ભારતીય સૈન્યએ પાકિસ્તાન દ્વારા કબ્જે કરાયેલી ચોકીઓ પર ત્રિરંગો લહેરાવ્યો હતો. સમગ્ર વિશ્વને શક્તિશાળી ભારતનો પરચો આ યુદ્ધથી મળ્યો.
૨૦૧૨
૧૯૩૨થી અત્યાર સુધીનાં ૮૦ વર્ષના સમયગાળામાં ભારતીય વાયુ સેનાએ વિવિધ દેશો દ્વારા બનાવાયેલાં ૭૩ પ્રકારનાં વિમાનોને આકાશની ઊંચી ઉડાન ભરાવી છે. ઈન્ડિયન એરફોર્સે પ્લેટિનમ જયંતી વખતે ૨૦૦૬માં જાહેર કરેલા આંકડા પ્રમાણે વાયુસેના પાસે આશરે ૧૩૬૦ લડાકુ વિમાનો છે અને દોઢ લાખ જેટલા કર્મચારીઓ છે. ૫૦૦ હેલિકોપ્ટર્સ વાયુસેનાની શાનમાં વધારો કરી રહ્યાં છે. આટલી તાકાત જ વાયુ સેનાને વિશ્વના ચોથા નંબરની સૌથી શક્તિશાળી વાયુસેના હોવાનું ગૌરવ અપાવે છે.    

Gujarati Writing Contest


GGN Contest

તમે ખૂબ સરસ લખી જાણો છો... તમારું લખાણ તમારી આગવી શૈલીના કારણે અન્યના લખાણ કરતાં અલગ તરી આવે છે, પરંતુ તમારું લખાણ કોઈને વંચાવતા તમે ખૂબ સંકોચ અનુભવો છો. કેટલાક વળી એવા પણ હશે કે જેઓ પોતાનું લખાણ કે કવિતા નજીકના સ્વજનો કે મિત્રોને વંચાવવાની હિંમત કરી લેતાં હશે.  તમે મિત્રો અને સ્વજનોએ લખાણ વાંચીને કરેલાં વખાણને સાંભળીને હરખાયા હશો! પરંતુ તમારી કૃતિને સંકોચવશ ક્યાંય છપાવવા નહીં મોકલી હોય, તમે એવું પણ વિચાર્યું હશે કે મારી કૃતિને વળી કોણ છાપવાનું?! આવા કોઈને કોઈ કારણસર તમારી અભિવ્યક્તિને શબ્દદેહ આપવાનું શક્ય નથી બન્યું તો તમારા માટે એક સોનેરી તક લઇને આવ્યું છે જીજીએન.

ગ્લોબલ ગુજરાત ન્યૂઝ –જીજીએન (સ્પાર્ક બ્રોડકાસ્ટિંગ પ્રા.લિ. નું સાહસ) સાહિત્યપ્રેમીઓ માટે લઈને આવ્યું છે લેખનસ્પર્ધા. જીવનમાં ઘટતી સંવેદનશીલ ઘટનાઓથી માંડીને સમાજજીવનના સ્વાનુભવો, સાંપ્રત ગુજરાત પ્રત્યેનો દ્રષ્ટિકોણ, સામાજિક સમસ્યાઓ અને એ માટેની જાગૃતિ અંગે દેશ-વિદેશના ગુજરાતીઓ આ લેખનસ્પર્ધામાં ભાગ લઈ શકશે.

જીજીએન  લેખનસ્પર્ધામાં આપને તક મળશે સાહિત્યિક રુચિને વિકસાવવાની, સાંપ્રત રાજકીય પ્રવાહો અંગેનાં મંતવ્યો અને વ્યંગને નિર્ભિક બનીને વ્યક્ત કરવાની. ઉત્કૃષ્ટ કૃતિઓને www.globalgujaratnews.com  ના ‘શબ્દસૃષ્ટિ’ વિભાગમાં સ્થાન આપવામાં આવશે અને શ્રેષ્ઠત્તમ  કૃતિઓને જીજીએન દ્વારા ટૂંક જ સમયમાં પ્રકાશિત થનારા પખવાડિક સામયિકમાં પણ પ્રકાશિત કરવામાં આવશે અને યોગ્ય પુરસ્કારથી નવાજવામાં આવશે.
 
સ્પર્ધકો ચાર અલગ અલગ શ્રેણીમાં પોતાની રચનાઓ મોકલાવી શકે છે.

વિષય:
  1. પ્રણય જ્યારે પલટાયો પરિણયમાં
     
  2. ટૂંકીવાર્તા
     
  3. વ્યંગાત્મક લખાણ
     
  4. કવિતા-ગઝલ

પ્રણય જ્યારે પલટાયો પરિણયમાં

આપે અથવા નિકટના કોઇક સ્વજન કે મિત્રોએ પ્રેમપંથની પાવક જ્વાળા પર ચાલીને, પોતાના અસીમ પ્રેમને પરિણયમાં પલટાવ્યો હશે. મનગમતા જીવનસાથીને પામીને જીવનનાં સર્વોચ્ચ શિખરો સર કરી આગળ વધેલાં યુગલોની સફળ પ્રણયગાથા અમને લખી મોકલો 750 થી 900 શબ્દોની મર્યાદામાં.

વાસ્તવિક પ્રણયગાથા લખનારા સર્જકો વિશેષ નોંધ લે કે આ શ્રેણીમાંતમારી પોતાની, તમારા સ્વજનની કે પરિચિત યુગલની સત્ય પ્રણયકથા, તેમના જીવનની તડકીછાંયડીને આપેલા શબ્દોની મર્યાદામાં રસપ્રદ રીતે લખી મોકલવાની રહેશે.

જે યુગલની પ્રણયગાથા લખીને મોકલો તેમના સહજીવનને ઓછામાં ઓછાં પાંચ વર્ષ થયાં હોય તે અનિવાર્ય છે.

આ શ્રેણીમાં જે યુગલની પ્રણયગાથાનું નિરૂપણ કર્યું હોય તેમના ફોટોગ્રાફ્સ, ફોનનંબર, સરનામું, વ્યવસાય, અભ્યાસની સાચી માહિતી અલગથી મોકલવી.

ટૂંકીવાર્તા

સામાજિક પ્રશ્નો અને તેના ઉકેલ તથા સામાજિક વિકાસને ઉજાગર કરતાં વિષયવસ્તુ સાથે રસાળશૈલીમાં ટૂંકીવાર્તા 400થી 600 શબ્દોની મર્યાદામાં લખી મોકલવાની રહેશે.

સ્પર્ધામાં જે ટૂંકીવાર્તા મોકલાવો તે વાસ્તવિકતા સાથે સંલગ્ન ન હોય તો ચાલશે, પરંતુ કૃતિ મૌલિક હોવી આવશ્યક છે.

વ્યંગાત્મક લખાણ

વ્યંગાત્મક લખાણ 300 થી 500 શબ્દોમાં લખાયેલું હોવું જોઈએ.

વ્યંગાત્મક લખાણના વિષયવસ્તુ તરીકે રાજકારણ, સાંપ્રત પ્રવાહો, દેશ–દુનિયાની ઘટનાઓ, વહીવટીતંત્ર લઈ શકાય.

કવિતા-ગઝલ

ઘણા યુવા અને પીઢ સર્જકો એવા હશે જેઓ ટૂંકીવાર્તા અને વ્યંગાત્મક લખાણ ઉપરાંત ભાવવાહી કવિતાનું સર્જન કરી શકતાં હોય છે. આ પ્રકારનું કૌશલ્ય ધરાવનાર 150 થી 200 શબ્દોની મર્યાદામાં સ્વરચિત કવિતા અથવા ગઝલ લખીને મોકલાવી શકે છે.

આ સ્પર્ધામાં જે ગઝલ કે કવિતા મોકલાવો તે મૌલિક હોવી આવશ્યક છે.

વિજેતા કૃતિને ટૂંક સમયમાં જ પ્રકાશિત થનારા મેગેઝિનમાં પ્રસિદ્ધ કરીને વિજેતા લેખકોને આગવું મંચ પૂરું પાડવામાં આવશે. તદ્ઉપરાંત સર્જકને યોગ્ય પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે.

 
સ્પર્ધકે ધ્યાનમાં રાખવાની વિગતો
 
  • આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ પ્રવેશ ફી નથી.
     
  • તમારી રચના સાથે તમારું નામ, સરનામું, ફોન નંબર, ઇ-મેઇલ આઈડી, ક્લોઝઅપ ફોટોગ્રાફ, અભ્યાસ તથા વ્યવસાયની સાચી વિગતોની માહિતી આપવી અનિવાર્ય છે.
     
  • જો આપની રચના ઇ-મેઇલ દ્વારા મોકલો તો આપનો ફોટોગ્રાફ સ્કેન કરીને મોકલવાનો રહેશે.
     
  • સ્પર્ધામાં મોકલાયેલી કૃતિ આ પહેલાં ક્યાંય પ્રસિદ્ધ કે પ્રકાશિત ન થઈ હોવી જોઈએ.
     
  • વિજેતા નક્કી કરવા અંગેના અને કૃતિને પ્રકાશિત કરવા કે ન કરવા અંગેના તમામ હક સંપાદકીય વિભાગના રહેશે.
     
  • લખી મોકલાવેલી વાર્તા કે કૃતિમાં કોઈની નકલ થયેલી માલૂમ પડશે તો તેનો પ્રવેશ રદ ગણાશે.
     
  • કૃતિ મોકલવાની અંતિમ તારીખ 31-10-2012 છે.

આપની રચનાઓ  અમને contest.ggn@gmail.com   પર ઇ-મેઇલ કરો અથવા તો નિમ્નલિખિત સરનામે મોકલી આપશો.


ગ્લોબલ ગુજરાત ન્યૂઝ
C/O સ્પાર્ક બ્રોડકાસ્ટિંગ પ્રા. લિ.
201, ત્રીજો માળ, એસ. કે હાઉસ, ડ્રાઇવ ઇન સિનેમા સામે,
ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ-3800054
ફોન નંબર 40307637, 26850577
www.globalgujaratnews.com
 

Wednesday, October 10, 2012

અહીં પેટ્રોલ પોણા સાત રૂપિયે લિટર વેચાય છે


લંડન, તા. 8
પેટ્રોલની વધતી કિંમતોના સમાચારો વચ્ચે જો તમને કોઈ એમ કહે કે એક જગ્યાએ પેટ્રોલ માત્ર ૬.૭૫ રૃપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે તો કદાચ વિશ્વાસ નહિ બેસે, પરંતુ આ હકીકત છે. હાલમાં જ વેનેઝુએલાને વિશ્વમાં સૌથી સસ્તા ભાવે પેટ્રોલ વેચતો દેશ ગણાવવામાં આવ્યો છે. આ દેશમાં પહેલેથી જ પેટ્રોલપંપ પર સસ્તું પેટ્રોલ મળવાની પરંપરા રહી છે, કારણ કે તે વિશ્વમાં સૌથી મોટો ઇંધણભંડાર છે, જોકે હવે આ સસ્તું ઇંધણ સ્મગલર્સને પણ લલચાવી રહ્યું છે.
એક તરફ વેનેઝુએલામાં પેટ્રોલ સસ્તું છે તો બીજી તરફ તેના પાડોશી દેશ કોલમ્બિયામાં વધુ કિંમતે પેટ્રોલ મળે છે, જેથી ટેક્સીડ્રાઇવર્સ સહિત અનેક લોકો વેનેઝુએલામાંથી જ પેટ્રોલ ખરીદવાનો પ્રયાસ કરતા હોય છે. વેનઝુએલાના ઇંધણભંડાર માનવામાં આવતાં શહેર મેરાકાઇબો કોલમ્બિયાની સરહદેથી ૬૦ માઇલ દૂર છે, પરંતુ કોલમ્બિયા અને વેનેઝુએલાની પેટ્રોલની કિંમતોમાં ખૂબ મોટો તફાવત છે.
એક સ્થાનિક ટેક્સીડ્રાઇવર કહે છે કે, 'અહીં પેટ્રોલ સસ્તું છે જ્યારે અહીંની સરખામણીમાં કોલમ્બિયામાં પેટ્રોલ ૧૦ ગણું મોંઘું છે. મારે કોલમ્બિયા જવાનું વારંવાર થાય છે પણ હું પેટ્રોલ વેનેઝુએલામાંથી જ પુરાવું છું.'
માત્ર સ્થાનિક ટેક્સીડ્રાઇવર્સ જ પેટ્રોલ ભરાવવાનો પ્રયાસ કરે છે તેવું નથી. આ દેશમાં મળતું સસ્તું પેટ્રોલ દાણચોરોને પણ લલચાવી રહ્યું છે. વેનેઝુએલાની સરકારનું અનુમાન છે કે, વર્ષે એક લાખ બેરલ તેલની ચોરી થાય છે, જેનાથી સરકારી તિજોરીને કરોડો ડોલરનું નુકસાન થાય છે.
ખર્ચની મર્યાદા ૪૦ લિટર
કોલમ્બિયા સરહદ નજીકના વિસ્તારોમાં ખરીદીમર્યાદા નક્કી કરવામાં આવી છે, જે મુજબ દરેક ગાડી પર એક ચીપ લગાડવામાં આવી હોય છે. આ ચીપના આધારે પેટ્રોલપંપ પર લોકો પેટ્રોલ ભરાવી શકે છે. એક કારમાં ૪૦ લિટર પેટ્રોલ ભરાવવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મેરાકાઇબો શહેરમાં બાર જેટલા પેટ્રોલપંપમાંથી સાત પેટ્રોલપંપે ચીપને આધારે પેટ્રોલનું વેચાણ શરૃ કરી દીધું છે.