Friday, January 4, 2013

મારૂતીનું ગુજરાતમાં કારખાનું 2015ના મધ્યમાં શરૂ થશે

અમદાવાદ 04, જાન્યુઆરી

મારૂતી સુઝુકીનું ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં બેચરાજી કારખાનું લગભગ 2015ના મધ્યમાં શરૂ થશે. કંપનીના મુખ્ય અધીકારી એસ વાય સિદ્દીકિએ આ જાણકારી આપી હતી.

સિદ્દીકિ અહીં એફજીઆઈ એક્સપો 2013 એગ્રો અને ઓટો સંમ્મેલનમાં અહીં આવ્યાં હતા. તેમણે કહ્યું કે ગુડગાંવ અને માનેસર હરિયાણાના કારખાનામાં હાલ 17.05 લાખ કારોનું વિનિર્માણ થઈ રહ્યું છે. આ કારખાનાના શરૂ થવાથી કંપનીની ઉત્પાદન ક્ષમતા 20 લાખ કારની થઈ જશે.