Wednesday, April 17, 2013

હવે, ભારતીય રેલ પણ ફેસબુક પર!

કુરુક્ષેત્ર, 15 એપ્રિલ

સોશિયલ મીડિયાથી જોડાયેલા લોકો હવે ભારતીય રેલવેની જાણકારી ફેસબુક પર પણ મેળવી શકશે.

રેલવે બોર્ડે પદ્ધતિસર બધી જ રેલવે ઝોનને ફેસબુક પર તેની પ્રોફાઇલ બનાવવાનો નિર્દેશ કર્યો છે. તે પ્રોફાઇલ ફરિયાદ નોંધાવા તેમજ જાણવાને કારણે પોત પોતાના ઝોનની સિદ્ધિઓ સુધી પહોંચવા માટે હશે. દરેક ઝોનની તેમની અલગ પ્રોફાઇલ હશે. તેમાં જનતાને જરૂરી જાણકારીઓ પણ આપવામાં આવશે.

રેલવેના જણાવ્યા અનુસાર રેલવે બોર્ડના ચેરમેન વિનય મિત્તલે બધા ઝોનના જી.એમ ને ફેસબુક પર પ્રોફાઇલ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમને જણાવ્યુ હતુ કે, સોશિયલ મીડિયાની વધતી જતી ઉપયોગીતા ને જોઇને બધા ઝોનલ રેલવે તેમના ફેસબુક પેજ બનાવે અને તેને વ્યવસ્થિત પણ કરે.

રેલ સુત્રોનુ માનીએ તો રેલવે પ્રશાસનની તૈયારી આવનારા દિવસોમાં નવી ટ્રેનોની ઘોષણા સિવાય સ્પેશલ નાની મોટી વ્યવસ્થાઓની પણ જાણકારી સમય રહેતા આપે.