Friday, October 28, 2011

કળિયુગમા થનારી ઘટના વિશે..........Is Kali Yug going on NOW?

જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ  ધરતી પર હતા ત્યાં સુધી કળિયુગ પ્રવેશ નહોતો કરી શકતોજ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગયા  દિવસથી કળિયુગનો પ્રારંભ થઈ ગયો.

--> જેમ જેમ કળિયુગ આવતો જશે તેમ
 તેમ ઉત્તરોત્તર ધર્મસત્યપવિત્રતાક્ષમાદયા આયુબળ અને સ્મરણશક્તિનો અભાવ થતો જશે.

-->કળિયુગમાં જેની પાસે ધન હશે
એને  લોકો સારા કુળવાળાસદાચારી અને સદગુણી માનશેજેના હાથમાં શક્તિ હશે  ધર્મ અને ન્યાયની વ્યવસ્થાને પોતાને ફાવે તેમ કરી દેશે.
-->કલિયુગમાં ધન પર  મનુષ્યોનાં જન્મઆચાર તથા ગુણો નિર્ભર રહેશેબાહુબળ  ધર્મન્યાય અને નીતિનો નિર્ણય કરશે.
-->સ્ત્રી
 તેમજ પુરુષના વિવાહ એકબીજાના આકર્ષણને કારણે  થશેએમાં કુળગોત્રશીલશિક્ષણવ્યવહાર વગેરેનો કોઈ પ્રભાવ નહિ રહે.
-->લગ્ન માટે કુળ
ચરિત્ર અને યોગ્યતા આદિ જોવામાં નહિ આવેછોકરા-છોકરીઓ જાતે પોતપોતાની રૂચી થી  લગ્ન કરી લેશે.
-->સ્ત્રી અને
 પુરુષોની શ્રેષ્ઠતાનો માપદંડ શીલ અને સંયમ  રહેતા કેવળ કામક્રીડા (રતિકૌશલબની રહેશે.
-->લગ્ન માટે એકબીજાની સંમતિ પર્યાપ્ત રહેશેશાસ્ત્રવિધિવિધાન,
 સંસ્કાર આદિની લોકોને કોઈ જરૂર નહિ લાગેવાળ ઓળી લેવા અને સારાં કપડાં પહેરીને તૈયાર થઈ જવું એને  લોકો સ્નાન થઈ ગયું સમજશે.
-->વ્યવહારમાં લોકો
 સચ્ચાઈ અને ઈમાનદારીથી નહીં વર્તેજેને જેટલું છલ-કપટ કરતાં આવડશેએને લોકો એટલો વધારે હોંશિયાર ગણશે.
-->લેવડદેવડના વેપારમાં પ્રપંચ 
 મુખ્ય રહેશેકેવળ માત્ર જનોઈ પહેરવાથી  બ્રાહ્મણ રૂપે પરિચિત થશેઘણું બોલવું તે  પંડિતાઈ ગણાશેદંભ  સજ્જનપણાનું લક્ષણ ગણાશેનામ-યશ માટે ધર્મનું આચરણ કરવામાં આવશે.
-->વસ્ત્રલાકડી,
 કમંડળ – જેવા બાહ્ય દેખાવ બધા બ્રહ્મચારી અને સંન્યાસીઓની ઓળખ બની રહેશેએકબીજાના વેશ અને ચિન્હો બદલવાથી એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જોડાવાની લાયકાત બની રહેશેજે લાંચ આપવામાં કે પૈસા ખવડાવવામાં અસમર્થ હશે એને કોર્ટ (અદાલતતરફથી બરાબર ન્યાય નહીં મળેજે બોલવા-ચાલવામાં જેટલો પાવરધો અને ચાલક હશે એને લોકો એટલો મોટો પંડિત માનશે.
-->કળિયુગમાં ગરીબ હોવું   મોટો દોષ ગણાશેજે જેટલો દંભ-દેખાડો અને પાખંડ કરી શકશે
 એને લોકો એટલો વિદ્વાન સમજશે.

-->લોકો દૂરના તળાવને પણ તીર્થ માનશે પરંતુ નજીકના તીર્થ જે ગંગા-ગોમતી અને માતા-પિતા (માતા-પિતા તીર્થ સમાન છે.) એની લોકો
 ઉપેક્ષા કરશે.
-->લાંબા વાળ રાખવા (પુરુષોએએને લોકો શારીરિક સૌંદર્યની નિશાની સમજશે ! અને જીવનનું સૌથી મોટું બધાને એક  કામ લાગશે –  છે પેટ ભરવાનુંજે જેટલું મોઢું ઠાવકું રાખીને વાત કરી શકશે એટલો લોકો એને સાચો સમજશે.

-->યોગ્યતા અને ચતુરાઈનું સૌથી મોટું લક્ષણ કુટુંબનું ભરણ-પોષણ કરવું  બની રહેશે.
 ધર્મનું સેવન લોકો પોતાનો યશ વધારવા કરશેપ્રકારે જ્યારે આખી પૃથ્વી પર દુષ્ટો લોકોની વાહવાહ થઈ જશેત્યારે રાજા (નેતાબનવાનો કોઈ નિયમ નહિ રહેબ્રાહ્મણક્ષત્રિયવૈશ્યક્ષુદ્ર જેની પાસે તાકાત (સત્તાવધારે હશે  રાજા બની બેસશે સમયે નીચ રાજાઓ અત્યંત ક્રુર અને નિર્દય હશેલોભી તો એટલા હશે કે એમના અને લુટારુઓમાં કોઈ ફર્ક  નહીં રહે !  પ્રજાનું ધન અને સ્ત્રીઓને છીનવી લેશેલોકો એવા રાજાઓથી ગભરાઈને દૂર દૂર પહાડો અને જંગલોમાં ભાગી જશેએવા સમયે પ્રજા જુદા-જુદા પ્રકારના શાકકંદ-મૂળમાંસદારૂ, ફળ-ફુલ અને ગોટલી (કેરી આદિની ગોટલીવગેરે ખાઈને પોતાનું પેટ ભરશે.

-->ક્યારેક તો વરસાદ  નહિ પડે – દુકાળ પડશેતો ક્યારેક કર પર કર (કર એટલે
 ટૅક્સનાખવામાં આવશેક્યારેક ભયંકર ઠંડી પડશેક્યારેક આંધી આવશેક્યારેક અતિશય ગરમી પડશે તો ક્યારેક પ્રચંડ પૂર આવશે ઉત્પાતો અને અંદર-અંદરના સંધર્ષોથી પ્રજા અત્યંત પીડિત બનશે અને નષ્ટ થઈ જશે.
-->લોકો ભુખ-પ્યાસ અને નાની-મોટી અનેક ચિંતાઓથી દુ:ખી
 રહેશેરોગોથી તો એમને ક્યારેય છૂટકારો નહિ મળે. -->ઘોર કળિયુગ આવશે ત્યારે મનુષ્યનું આયુષ્ય માત્ર વીસ થી ત્રીસ વર્ષનું થઈ જશે.
-->કળિયુગના દોષોથી લોકોનું શરીર નાનું-નાનુંક્ષીણ અને રોગગ્રસ્થ થઈ જશેવર્ણ અને આશ્રમોનો ધર્મ બતાવવા વાળો વેદમાર્ગ નષ્ટ થઈજશે.
-->ધર્મમાં પાખંડતા વ્યાપી જશેરાજાઓ ડાકુ અને લુટારૂઓ જેવા થઈ જશેમનુષ્ય ચોરીજુઠ
 અને કારણ વગર હિંસા વગેરે જેવા અનેક કુકર્મો કરીને પોતાનું જીવન ચલાવશે.
-->ચારેય વર્ણૉના લોકો શુદ્ર સમાન બની જશે.
-->ગાયો બકરીઓ જેવી નાની અને ઓછું દૂધ આપવાવાળી થઈ જશેવનમાં રહેનારા અને સંસારનો ત્યાગ કરી ચૂકેલા સંન્યાસીઓ પણ સંસારી લોકોની જેમ ધર
 આદિ બનાવીને રહેશે અને તેમની જેમ વેપાર પણ કરશેજેની સાથે લગ્નજીવનનો સંબંધ છે એને  માત્ર લોકો સંબંધી ગણશે. (અર્થાત્ બહુ નજીકના હોય   સગાં કહેવાશે.).

-->ધાન્યો જેવાકે જવઘઉં આદિ અનાજના
 છોડ નાનાં-નાનાં થઈ જશેવૃક્ષોમાં પણ લગભગ બધે શમી આદિ જેવા કાંટાવાળા વૃક્ષો  રહી જશે.
-->વાદળોમા વીજળીઓ તો બહુ થશે પરંતુ વરસાદ ઓછો થશે.
-->લોકોના ઘરો અતિથિઓના સત્કાર અને વેદધ્વનિ વગરના હોવાને કારણે અથવા તો ઘરમાં લોકોની સંખ્યા ઘટવાને કારણે સૂના-સૂના અને ભેંકાર થઈ જશે.
-->કળિયુગનો અંત થતા-થતા મનુષ્યોનો સ્વભાવ ગધેડાઓ જેવો દુ:સહ્ય બની જશેલોકો
 માંડ-માંડ સંસારનો બોજ વેઠતા હોય એમ જીવશે અને વિષયી (ભોગીબની જશેએવા સમયે સત્વગુણને ધારણ કરીને ભગવાન સ્વયં અવતાર લેશે.

-->કળિયુગમાં ધર્મના ચારેય ચરણો સત્યદયાતપ અને દાન નષ્ટ
 થઈ જાય છે અને એના બદલે અસત્યહિંસાઅસંતોષ અને કલહ   અત્યંત વધી જાય છે.
-->જીવન દરમિયાન જ્યારે પણ જુઠ-કપટતંદ્રા-નિંદ્રાહિંસા-વિષાદશોક-મોહભય અને દીનતાની પ્રધાનતા લાગે ત્યારે તેને તમોગુણ પ્રધાન કળિયુગ
 સમજવો.
-->કળિયુગમાં લોકોની દ્રષ્ટિ ક્ષુદ્ર બની જશેમોટાભાગના લોકો એવા હશે જે હશે તો નિર્ધન પણ ખાતા બહુ હશેએમનું ભાગ્ય હશે બહુ મંદ પણ ચિત્તમાં કામનાઓ હશે બહુ મોટી મોટી.
-->સ્ત્રીઓમાં
 દુષ્ટતા અને કુલટાપનની વુધ્ધિ થતી જશે 31 
-->કળિયુગ હોય છે ત્યારે આખા દેશમાંગામે ગામમાં લુંટેરાઓ (આતંકવાદની પ્રધાનતા અને પ્રચુરતા વધતી જાય છેપાખંડીલોકોપોત-પોતાના નવા 
સિધ્ધાંતો બનાવીને મનફાવે એવો વેદોનો અર્થ નીકાળે છે અને  પ્રકારે એને કલંકિત કરે છેપોતાને રાજા કહેવડાવનારા પ્રજાની કમાઈ હડપીને એને ચૂસી લે છેબ્રાહ્મણનું નામ ધારણ કરીને જીવ પેટ ભરવામાં અને જનેન્દ્રીયોના ભોગોને તૃપ્ત કરવામાં લાગેલા રહે છે.
-->બ્રહ્મચારી લોકો બ્રહ્મચારીવ્રતથી રહિત અને પવિત્ર રહેવા લાગે છે.
-->ગૃહસ્થ બીજાને ભિક્ષા આપવાને બદલે સ્વયં માંગતો ફરે
 છેવાનપ્રસ્થી ગામ (કે શહેરો)માં વસે છે અને સંન્યાસી ધનના અત્યંત લોભને લીધે પિશાચ જેવો બની જાય છે.

-->સ્ત્રીઓનું કદ (આકારનાનો થઈ જાય છેપરંતુ તેમની ભુખ વધી જાય છેએમને
 સંતાનો બહુ થાય છે અને સ્ત્રીઓ પોતાના કુળની મર્યાદાઓનું ઉલ્લંધન કરીને લાજ વગેરેને છોડી દે છે સદા સર્વદા કડવી વાણી બોલે છે અને ચોરી અને કપટ કરવામાં પ્રવીણ હોય છેસ્ત્રીઓમાં સાહસ પણ ખૂબ વધી જાય છે.
-->વેપારીઓનું હ્રદય એકદમ ક્ષુદ્ર જેવું બની જાય છે કોડી-કોડી માટે (પૈસે-પૈસા માટેલોકો સાથે છલ કરે છે અને કોડીને વળગી રહે છેબીજું તો શું – આપત્તિનો સમય
  હોવા છતાં અને ધનવાન હોવા છતાં તે નિમ્નકક્ષાના વ્યપારોકે જેની સજ્જ્ન પુરુષો ના કહે છેએને ઠીક સમજીને કરવા માંડે છે.
-->શેઠ ચાહે બહુ સારો કેમ  હોય – જ્યારે નોકરો જુએ છે
 કે શેઠ પાસે ધન-દોલત નથી રહી ત્યારે એને છોડીને ભાગી જાય છેનોકર ચાહે ગમે એટલો જૂનો કેમ  હોયજ્યારે તે મુશ્કેલીમાં હોય છે ત્યારે માલિક તેને છોડી દે છે.
-->ગાયો જ્યારે 
વસૂકી જાય છે – દૂધ દેવાનું બંધ કરી દે છે – ત્યારે લોકો એને પણ છોડી દે છે.
-->કળિયુગમાં મનુષ્યો બહુ  લંપટ બની જાય છે પોતાની કામવાસનાઓ તૃપ્ત કરવા માટે  કોઈક ને પ્રેમ કરે છે 
વિષયવસાનાઓથી એટલા બધા ધેરાઈ જઈ ને દીન બની જાય છે કે પોતાના માતા-પિતાભાઈ-બહેન અને મિત્રોને પણ છોડીને કેવળ પોતાના સાળા અને સાળીઓની સલાહ લે છે.
-->ક્ષુદ્ર લોકો તપસ્વીઓ જેવો વેશ
 બનાવીને પોતાનું પેટ ભરે છે અને દાન સ્વીકારે છેજેમને ધર્મનું જરા જેટલુંય જ્ઞાન નથી  લોકો ઊંચા સિંહાસનો પર બેસીને ધર્મનો ઉપદેશ કરે છે.
-->કળિયુગની પ્રજા દુકાળ પડવાના કારણે અત્યંત 
ભયભીત અને વ્યાકુળ બની જાય છેએક તો દુકાળ અને પાછો કર (ટૅકસ)માં વધારોપ્રજાના શરીર પર કેવળ હાડકાં અને મનમાં કેવળ ઉદ્વેગ રહી જાય છેજીવન ટકાવવા માટે રોટલીનો ટૂકડો મળવો પણ મુશ્કેલ બની જાય છે.
-->કળિયુગમાં પ્રજા શરીર ઢાંકવા માટે વસ્ત્ર અને પેટની ભુખ શાંત કરવા માટે રોટીપીવા માટે પાણી અને ઊંધવા માટે બે હાથ જમીનથી પણ વંચિત બની જાય છે.
 એને દાંપત્યજીવનસ્નાન અને આભુષણ પહેરવાની પણ સુવિધા નથી મળતીલોકોનો દેખાવસ્વભાવ અને વર્તણુંક પિશાચો જેવી બની જાય છે.
-->કળિયુગમાં લોકો ધન તો શુંનાની-નાની વાતો માં પણ લોકો સાથે વેર 
વિરોધ કરવા લાગશે અને બહુ દિવસની મિત્રતા અને સદભાવને તિલાંજલી આપી દેશેએટલું  નહિંતે પૈસે પૈસા માટે પોતાના સગા-સંબંધીઓની હત્યા સુધ્ધાં કરી નાખશે અને પોતાના પ્રાણથી પણ હાથ ખોઈ બેસશે.
-->કળિયુગમાં ક્ષુદ્ર લોકો કેવળ પોતાની કામવાસના પૂરી કરવા અને પોતાનું પેટ ભરવાની ધૂનમાં  લાગેલા રહેશે.
-->પુત્ર પોતાના ધરડાં મા-બાપની રક્ષા-પાલન-પોષણ નહીં કરેએની
 ઉપેક્ષા કરશેપિતા પણ એના કુશળ અને બધા કામમાં યોગ્ય એવા પુત્રોની પરવા  કરતાં એમને અલગ કરી દેશે.
-->મનુષ્ય મરતી વખતેપડતી વખતે અથવા લપસી જતી વખતે વિવશ થઈને ભગવાન ના કોઈ એકાદ
 નામનું પણ ઉચ્ચારણ કરી લે છે તો એના બધાજ કર્મોના બંધન છિન્ન-ભિન્ન થઈ જાય છે અને એને ઉત્તમોત્તમ ગતિ મળે છેપરંતુ હાય રે કળિયુગ ! કળિયુગના પ્રભાવથી લોકો  ભગવાનની આરાધનાથી પણ વિમુખ બની જાય છે.
-->કળિયુગમાં આમ તો હજારો દુર્ગુણ છે પરંતુ તેમાં એક ગુણ બહુ  સુંદર છે ગુણ  છે કે કળિયુગમાં કેવળ ભગવાનના નામનું સંકિર્તન કરવા માત્રથી બધી  આસક્તિઓ છૂટી 
જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છેજે ફળ સત્યયુગમાં ભગવાન ના ધ્યાન કરવાથીત્રેતામાં મોટા-મોટા યજ્ઞો કરી એમની આરાધના કરવાથીદ્વાપરયુગમાં વિધિપૂર્વક એમની સેવા કરવાથી મળે છે કળિયુગમાં કેવળ ભગવાનના નામનું કિર્તન કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે.
-->જે સમયે કલ્કી ભગવાન આવો અવતાર ધારણ કરશે  સમયે  સત્યયુગનો પ્રારંભ થઈ જશેજે સમયે ચંદ્રસુર્ય અને ગુરૂ એક 
 સમયે એક  સાથે પુષ્યનક્ષત્રના પ્રથમ પળમાં પ્રવેશ કરે છેએક  રાશિમાં આવે છે સમયે સત્યયુગનો પ્રારંભ થાય છે.