Wednesday, October 12, 2011

દીર્ઘાયુ માટેના ત્રણ સિદ્ધાંતો(આરોગ્ય ચિંતન)




આજકાલ આવા રાજસિક આહાર વિહાર અને વિચારોથી જ ૮૦ ટકા રોગ થાય છે. અહીં પણ ઘણાં વાચકોને પ્રશ્ન થશે કે આવા રોગ કયા કયા હોઈ શકેડાયાબિટીસહાઈબ્લડપ્રેશરઅમ્લપિત્તકાયમી મરડોરૂમેટિઝમપેપ્ટિક અલ્સરઅગ્નિમાંદ્યમાનસિક ઉશ્કેરાટભયટેન્શનઅનિદ્રારક્તાલ્પતાત્વચાના રોગઅતિ સ્થૂળતાકામ શીતળતા વગેરે રોગ રાજસિક આહારના અતિ સેવનથી થાય છે.

આજે યુવાન અને સ્વસ્થ કહી શકાય એવા ચહેરાઓ સાવ ઓછા જોવા મળશે. આ બધું રાજસિક આહારબીડીસિગારેટતમાકુમદ્યપાન અને ડ્રગ્ઝનું પરિણામ છે. આજકાલની નાની- મોટી અને અદ્યતન ’ ગ્રેડની આધુનિક અને આલીશાન હોટલો કે રેસ્ટોરાંમાં શું પીરસાય કે અપાય છેતમે જઈને જોશો તો જણાશે કે રાજસિક આહારની ડિશોમાં વિકૃતઉત્તેજિતપ્રભાવહીનનિસ્તેજ તથા અભાવયુક્ત ચહેરાઓનાં પ્રતિબિંબ જોવા મળશે. આવા આહારથી આપણી પ્રાકૃતિક ભૂખનું મૃત્યુ થાય છે. જે લોકો આ પ્રકારના આહારથી ટેવાય છે તે લોકોમાં આગળ જતાં અનિદ્રામૂત્રાશયના રોગપાચન-તંત્રના રોગઆંતરડાંના અને ત્વચાના રોગરક્તવાહિનીઓના રોગમાનસિક રોગ તથા હૃદયના રોગ થાય છે.


ત્રીજો સિદ્ધાંત એ છે કે ઇન્દ્રિયો પર કાબૂ રાખવો. ઇન્દ્રિયોના હીનમિથ્યા કે અતિયોગથી ઘણાં રોગ થાય છે. ઉદાહરણરૂપે તમે આંખ તથા જીભ જ લો. આ બંને જ્ઞાનેન્દ્રિયો છે અને તે જોવાનું તથા સ્વાદનું જ્ઞાન કરાવે છે. તેના હીનમિથ્યા કે અતિયોગથી ઘણાં રોગ થાય છે.આંખની નજીક ચોપડી રાખીને વાંચન કરવું કે નજીકથી ટીવી કાર્યક્રમો જોવા તે આંખના હીનયોગને લીધે જ આજકાલ લોકોમાં ચશ્માંનું પ્રમાણ પહેલાં કરતાં વધારે જોવા મળે છે. જીભ વારંવાર ગળ્યાં આહાર દ્રવ્યોનો સ્વાદ લીધા કરે તો તે અતિયોગ થયો ગણાય. તેનાથી વજન વધવું. હૃદયના રોગ,ડાયાબિટીસલિવરના રોગોમેદના અને ત્વચાના રોગ થાય. આમ ઇન્દ્રિયોના હીનમિથ્યા કે અતિયોગથી પણ ઘણાં રોગ થવાની શક્યતા રહે છે.