હસ્તાક્ષર સંદેશ - પંડિતરત્ન વ્રજકિશોર ધ્યાનીહસ્તાક્ષરનું પ્રબળ પ્રભુત્વ છે. હસ્તાક્ષરની વ્યાપક ઉપયોગિતા અને એનો અધિકૃત સ્વીકાર/મંજૂરી જ સાબિત કરે છેકે આપ હસ્તાક્ષર કરીને ‘હા’ની મહોર મારો છે. હસ્તાક્ષર માનસિક, વૈચારિક, નિર્ણાયક અને પરિણામલક્ષીયથાર્થતાનું પ્રત્યક્ષ પ્રતિબિંબ છે. વિચારોની સભાનતા, સંમતિ, અસંમતિ, વૃત્તિ, વલણ, અભિગમ, અભ્યાસ,અનુભવ, મનોભાવ તથા ગુણવત્તાસભર આલેખન દ્વારા ‘હસ્તાક્ષર’નું સામ્રાજ્ય માનવજીવનને હકારાત્મક શૈલીતરફ ખાતરીપૂર્વક દોરી શકે છે. ‘સુવર્ણાક્ષરે લખાતી યશગાથાઓ’ આદર્શ હસ્તાક્ષરને આભારી હોય છે, કારણ કેહસ્તાક્ષર જીવન આદર્શનું બીજું નામ છે.
અક્ષર, શબ્દ, વાક્ય લખાય ત્યારે પૂરો અર્થ સમજી શકાય છે. આપ આપની સહીમાં જે લખ્યું એના ઉપરથી જઆપના આંતરિક મનનો વિસ્તાર સમજી શકાય છે. ભોજનમાં પીરસાતી વાનગીઓમાંથી કોઈક એકાદ-બે વાનગીતરફ રુચિ વધુ હોય તો એ વધુ ખવાય છે એમ હસ્તાક્ષરમાં લખાયેલાં ઘણાં અક્ષરો હોય, પરંતુ મહત્ત્વનો ભાગ ખાસઅક્ષરો જ ભજવે છે. માટે જ વધુ ભાર ક્યાં મૂકવો-કેવી રીતે મૂકવો એ જાણવું રહ્યું.
હસ્તાક્ષર કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
(૧) માનસિક સ્વસ્થતા હોય ત્યારે જ સહી કરવી.
(૨) જે પેનથી સહી કરો છો એમાંથી ‘કર્ઙ્મુ’ એટલે કે પ્રવાહ યુનિફોર્મ રહે એમ લખો.
(૩) બંધારણ પૂર્ણ રીતે લખો. દાબ-દબાવમાં યોગ્ય સહી થતી નથી.
(૪) જ્યાં જે પેપર ઉપર સહી કરવાની હોય તેની નીચેનું પેડિંગ ‘સખત’ હોય તો સહીનું દબાણ બરોબર આપી શકાયછે.
(૫) શા માટે સહી કરો છો એ પૂર્ણ રીતે જાણ્યા બાદ જ સહી કરવી.
(૬) સહીનો ઉપયોગ કરો, દુરુપયોગ નહીં. ગમે ત્યાં કારણ વિના સહી ન કરતા ફરો. જ્યાં આથિક જવાબદારી આપનારી સહી કરવાની હોય ત્યાં હજાર વાર વિચાર કરીને સહી કરવીજોઈએ.
સિગ્નેચરને હળવી રીતે ક્યારેય ન લેવાય. ખાસ કરીને ગંભીર બાબતોના નિરાકરણ વખતે તો નહીં જ. માનસવૃત્તિનાં વલણો-પ્રતિક્રિયાઓ અને પરિવર્તનો તરફ આપ વધુ ધ્યાનકેન્દ્રિત કરો તો સફળ કારકિર્દી-સુખમય જીવન સારી સિગ્નેચર કરીને મેળવી શકો છો, કારણ કે સિગ્નેચરને કર્મ સાથે સીધો સંબંધ બને છે. કોઈક એવી દલીલ કરી શકે કે, જે વ્યક્તિજ્યોતિષમાં જ ન માનતો હોય તો? અથવા સિગ્નેચર જ ના કરી શકતો હોય તો? તો એનો જવાબ છે જ્યોતિષમાં ન માનનાર વ્યક્તિઓ ઉપર પણ ગ્રહોની અસર જરૂર થાય છેતેમ સિગ્નેચર ના કરી શકે એવી વ્યક્તિઓ ઉપર પણ ગ્રહોની અસર થાય છે. આ અસરને કારણે અને આપણાં શાસ્ત્રને આધારે શુભ પરિણામો મેળવવા ગ્રહોની નકારાત્મક અસરોદૂર કરી નાખવી જરૂરી હોય છે. જે શાસ્ત્રોક્ત વિધાનથી થઈ શકે છે. દવા ખાનાર વ્યક્તિનું દર્દ જેમ દવાથી મટે છે તેમ દુનિયાનો એક માણસ પણ એવો નથી જેના પર ગ્રહો અસરનથી કરતાં. જેમ મુઠ્ઠીમાં તમામ ગ્રહો આવી જાય છે, જેમ કોઈ પણ ભાષાની બારાખડી કે મૂળાક્ષરોમાં દુનિયાની તમામ પ્રાર્થનાઓ આવી જાય છે તેમ સિગ્નેચરમાં તમામ ગ્રહોનીઅસર થતી હોય છે. આ અસરનો અભ્યાસ કરી સાચું માર્ગદર્શન મળી રહે તો દુનિયાનું તમામ સુખ પામી શકાય છે. ઘણાં પાસે સાચો જન્મ સમય નથી હોતો, સાચી જન્મતારીખનથી હોતી અને જન્મસ્થળનો પણ ખ્યાલ નથી હોતો ત્યારે સાચી કુંડળી બનાવી શકાતી નથી. ત્યારે હસ્તરેખા અને સિગ્નેચર (હસ્તથી દોરવામાં આવેલી રેખા હસ્તાક્ષર) મહત્ત્વપૂર્ણબની રહે છે.
વ્યક્તિત્વદર્શન ઘણી બધી રીતે થઈ શકે છે જે આપણું સૌથી ‘આત્મીય’ ગણાય એ સિગ્નેચર છે. તેથી જ્યારે સિગ્નેચર કરો ત્યારે પહેલાંનો અને ત્યાર બાદનો સમય આપના માટેકેવો હશે એ જાણી શકાય છે. વ્યક્તિની ક્ષમતા અને લાક્ષણિકતાઓને ઉજાગર કરતું આ શાસ્ત્ર ઘણું ઉપયોગી બને છે. દાર્શનિક રીતે માનસિક સ્વસ્થતા સારી હોય તો વધુનિર્ણાયકતા અને પરિપકવતાની આશા રખાય છે.
હસ્તાક્ષરનું માળખું વ્યવસ્થિત કરવાથી જીવનનું માળખું વ્યવસ્થિત બનાવી શકાય છે. એવાં કેટલાંયે ઉદાહરણો છે જેમાં પતિ-પત્નીને સહી સુધારવાથી પરસ્પરની નજીક લાવીશકાયાં છે. પારિવારિક સમતુલન સાધી શકાયું છે. મુશ્કેલીઓ શા કારણે આવી છે એ જાણી શકાયું છે. આખા જીવનમાં અસફળ રહેનારાં શા માટે અસફળ રહ્યાં એ જાણી શકાયું છે.પિતાનું કે સંતાનનું યોગદાન પરિવારમાં કેવું રહ્યું એ સમજી શકાયું છે. મિલકત મળશે કે કેમ? કેમ નથી મળતી? ક્યારે મળશે? બધું જ જાણી શકાયું છે. લગ્નવિલંબ કે લગ્નવિચ્છેદકેમ થયો એ કહી શકાયું છે. કોઈ પણ લડત ચાલતી હોય ત્યારે ‘હસ્તાક્ષર ઝુંબેશ’ ચાલે છે અને ઘણી બધી સહીઓ કરીને સરકાર કે મેનેજમેન્ટ ઉપર દબાણ વધારાય છે. એકસિગ્નેચર એટલે એક પૂર્ણ વ્યક્તિ હોય છે, પર્સનાલિટી હોય છે. એ કરનાર એક પરિવારનું મહત્ત્વપૂર્ણ અંગ હોય છે. એ પ્રધાનમંત્રી પણ હોઈ શકે છે. એ જજ પણ હોઈ શકે છે. એસંગીતકાર પણ હોઈ શકે છે કે અભિનેતા પણ.
આ તમામ ક્ષેત્રોને આવરી લેતું ‘હસ્તાક્ષરશાસ્ત્ર’ એક અમોઘ શાસ્ત્ર છે. ફક્ત ચકાસણી કે પરખ માટે જ નહીં, પરંતુ વ્યક્તિના યોગ્ય માર્ગદર્શન માટે એનો અભ્યાસ કરવાથી સુંદરપરિણામો- ગૂઢ રહસ્યો અને સાચી વાસ્તવિકતાનો ખ્યાલ આવી શકે છે.